SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને જીવન ૮૭ વળી આ બધી વિદ્યાઓના ક્ષેત્રે જે કાંઈ સિદ્ધિઓ થઈ હોય એ બધામાં પણ કાંઈ સામાન્ય તત્ત્વ કામ કરી રહ્યું છે કે નહિ એ દેખાડવાનું કાર્ય તો સર્વશાસ–વિશારદ કોઈ દાર્શનિક જ કરી શકે. આમ દર્શન એ સર્વ વિદ્યાઓની વિદ્યા કહેવાય તો અજુગતું નથી. કાળની દૃષ્ટિએ દર્શનવિકાસ ભારતીય દર્શનોની વિચારધારાનો કાળની દૃષ્ટિએ જો વિચાર કરીએ તો વેદ એ ઉપલબ્ધ સામગ્રી છે. તેને આધારે એમ કહી શકાય કે ભારતીય દર્શનમાં સર્વપ્રથમ સૃષ્ટિવિચારને સ્થાન મળ્યું છે એટલે દર્શન સામે સર્વપ્રથમ એ પ્રશ્ન આવ્યો છે કે આ વિશ્વની ઉત્પત્તિ શાથી થઈ? તેના મૂળમાં શું હતું ? આ વિચારમાંથી આ વિશ્વની ઉત્પત્તિના કારણરૂપે અસતથી માંડીને, આકાશાદિ ભૂતો, વરણાદિ અનેક દેવો અને છેવટે બ્રહ્મ કે આત્મા એ જ જગતની ઉત્પત્તિના મૂળમાં છે એ કલ્પના ઉપનિષત્કાળમાં સ્થિર થઈ. વિચારપક્ષે સૃષ્ટિની ઉત્પત્તિની સમસ્યા હતી તો જે તત્ત્વને સૃષ્ટિના મૂળમાં માનવામાં આવ્યું તે તત્ત્વની ઉપાસના પણ આચારપક્ષે થતી ચાલી. આથી વેદકાળમાં યજ્ઞસંસ્થા દઢ થઈ અને તે સંસ્થાએ તે વખતના આચારમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું. ઉપનિષદકાળમાં સંસાર–વિશ્વના મૂળમાં એક આત્મા કે બ્રહ્મ જ છે એવી માન્યતા જયારે સ્થિર થઈ ત્યારે એ આત્મા વિશે જ હવે વધારે શ્રવણમનન-નિદિધ્યાસન આવશ્યક છે એમ મનાયું. એટલે ઋષિઓ આત્માની શોધમાં જ લાગી ગયા. તેથી આ કાળમાં યજ્ઞરૂપ કર્મકાંડનું મહત્ત્વ ઘટી જ્ઞાનમાર્ગનું મહત્ત્વ વધ્યું. આથી ત્યારપછીનાં દર્શનોમાં તત્ત્વજ્ઞાનને મહત્ત્વ મળ્યું અને જે જે વિવિધ દર્શનોરૂપે વિચારધારાઓ આવી એમાં સર્વત્ર આત્મા એ જ છે કે તે સિવાય પણ કાંઈ છે કે નહિ? હોય તો આત્મ-અનાત્મનો વિવેક કેમ કરવો–આ જ મુખ્યપણે ચર્ચાનો વિષય રહ્યો છે. દર્શનોમાં આ જ્ઞાનમાર્ગ એટલે કે આત્મ-અનાત્મનો વિવેકનો જ્ઞાનમાર્ગ છેક મધ્યકાળ સુધી ચાલ્યો છે. આ જ કાળમાં વેદાંતના વિવિધ ભેદો, વિજ્ઞાનવાદ, શુન્યવાદ જેવા વાદો સ્થિર થયા છે અને સાથે જ આત્મતર વસ્તુઓના અસ્તિત્વને માનનારા વાદો પણ સ્થિર થયા છે. આ આખો કાળ જ્ઞાનમાર્ગી છે. એટલે કે વિચાર અને આચારમાં પણ જ્ઞાનને જ મહત્ત્વ આપે છે. આ કાળમાં ઈશ્વરની કલ્પના પણ આવી છે, જે સમગ્ર જગતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy