SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. દર્શન અને જીવન દર્શન એ શું છે? દર્શન એટલે સાક્ષાત્કાર. એ કરવાને અનેક પ્રાચીન ઋષિઓએ પ્રયત્ન કર્યો અને તેમને જે વસ્તુતત્ત્વ દેખાયું તેનું વર્ણન તેઓ કરી ગયા છે અને તે વર્ણનમાં એકરૂપતા નથી એટલે આપણે ત્યાં દર્શનોનું વૈવિધ્ય છે. વળી જેને સાક્ષાત્કાર કહેવામાં કે સમજવામાં આવ્યો છે તે પણ સાક્ષાત્કર્તાની ભૂમિકાને અનુસરીને જ હશે એટલે પણ મૂળે સાક્ષાત્કારમાં પણ ભેદ હતો જ તેમ માનવું રહ્યું. એ સાક્ષાત્કારમાં જ ભેદ હોય તો તેના વર્ણનમાં ભેદ આવે જ એ સ્વાભાવિક છે અને એ વર્ણનોને આધારે વિભિન્ન પરંપરા કે સંપ્રદાયો બને છે જેઓ તે તે વર્ણનોને સમર્થિત કરવામાં પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ કરે છે. આમ આપણે ત્યાં દર્શનોની અનેક ધારા બની છે અને દર્શન એ માત્ર દર્શન નથી રહ્યું પણ તત્ત્વજ્ઞાન બની ગયું છે. એટલે કે દર્શનને નામે જે આપણી સામે આવે છે તે સાક્ષાત્કાર નહિ પણ એના સમર્થનમાં જે તર્કવિતર્કો બુદ્ધિ કરે છે. એને આપણે દર્શન સ્વીકારતા થઈ ગયા છીએ. સંક્ષેપમાં કહેવું હોય તો કોઈ એક કલ્પનાને આધારભૂત માનીને એ કલ્પનાથી જે કાંઈ વિરુદ્ધ જતું હોય તે સમગ્રનો વિચાર કરી તર્ક-વિતર્ક દ્વારા એ બધાનો મૂળકલ્પના સાથે મેળ બેસાડવા જે પ્રયત્ન થાય છે તે જ તત્ત્વજ્ઞાનની— દર્શનની એક ધારા બની જાય છે. એટલે કે દર્શન શબ્દ તેના મૂળ અર્થને છોડીને તર્ક-વિતર્કના અર્થમાં વપરાતો થઈ ગયો છે. ભારતીય દર્શનો કે તત્ત્વજ્ઞાનની શાખાઓનું વર્ગીકરણ અભેદવાદી દર્શનો અને ભેદવાદી દર્શનો એમ કરવામાં આવે છે. તે પાછળ એ દષ્ટિ છે કે આ વિશ્વમાં મૌલિક તત્ત્વ એક જ છે, અદ્વૈત છે એમ માનનાર એક વર્ગ અને મૌલિક તત્ત્વ એકમાત્ર નહિ, પણ એકથી વધારે છે એમ માનનાર બીજો વર્ગ. પણ તત્ત્વનો અભેદ કે ભેદ એ ઐકાંતિક નથી એવું માનનાર પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy