SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાવહારિક અનેકાંત આજના પ્રશ્નોનો ઉકેલ ૦ ૮૩ એમ કહેવું જોઈએ કે આ અનેકાંતમાં કાળની આસપાસ બધું ફરતું હોવાથી કોઈ નિર્ણય ત્રિકાલાબાવિત ન જ હોઈ શકે. શાસ્ત્રીય અનેકાંતથી આ લૌકિક અનેકાંત અહીંથી જ જુદો પડે છે. શાસ્ત્રીય નિર્ણય ત્રિકાલાબાધિત હોય છે, જયારે આનો નિર્ણય ત્રિકાલાબાધિત નથી જ હોતો. પણ અહીં પ્રશ્ન થશે કે આ લૌકિક નિર્ણય સાચો છે કે ખોટો છે, ઉચિત છે કે અનુચિત છે તે તપાસવાની કોઈ કસોટી છે કે નહિ ? આનો જવાબ ટૂંકામાં જ આપી દઉં છું કે અહીં નિર્ણયોને તપાસનાર કસોટી અહિંસા છે. લૌકિક અનેકાંતથી થનારા બધા નિર્ણયો અહિંસા ઉપર દૃષ્ટિ રાખીને જ ઘડાવા જોઈએ. જે જે નિર્ણય અહિંસાને સામે રાખીને કરવામાં આવ્યો હોય તે આની દૃષ્ટિમાં ઠીક છે અને જે નિર્ણય હિંસા તરફ લઈ જતો હોય તે આની દૃષ્ટિમાં મિથ્યા છે. એટલે કે લૌકિક અનેકાંતમાં ધ્રુવ તારો અહિંસા છે અને તેની આસપાસ બધુ અવિરોધીપણે ગોઠવાઈ જાય છે. પ્રાચીન જૈનાચાર્યોએ આ બીજા પ્રકારના લૌકિક અનેકાંત પાછળ જ મુખ્યપણે પોતાનું ધ્યાન રોક્યું હતું તે શાસ્ત્રપાઠીથી અજાયું રહે તેમ નથી. પણ પછીના સમયમાં દાર્શનિક સંઘર્ષ વધી ગયો તેની સાથે સાથે જૈનાચાર્યોએ પણ પોતાની દિશા બદલી અને તાત્વિક અનેકાંતમાં પોતાની બધી શક્તિનો ઉપયોગ કરવા લાગ્યા. સ્થિતિ એ આવી કે શાસ્ત્રીય અનેકાંતમાં પંડિત ગણાતા જૈનાચાર્યો પણ આચરણમાં એકાંતી જ થઈ ગયા. છેલ્લાં તેરસોચૌદસો વર્ષના પ્રયત્ન જૈનાચાર્યોએ શાસ્ત્રીય અનેકાંતને તેમનાથી જેટલો શક્ય હતો તેટલો વિકસાવ્યો છે અને દાર્શનિક ક્ષેત્રમાં જેટલા વાદો તેમની સામે આવ્યા તે બધાનો સમન્વય યથાશક્ય તેમણે કર્યો છે અને એ રીતે તેમણે પોતાની બધી શક્તિનો ઉપયોગ શાસ્ત્રીય સમન્વયમાં કર્યો છે એમ કહેવું જોઈએ. પણ જમાનો બદલી ગયો છે. હવે વળી પાછા એ લૌકિક અનેકાંત તરફ વળવાની જરૂર ઊભી થઈ છે અને પહેલાના કોઈ પણ જમાના કરતાં આ જમાનામાં જ વ્યવહારમાં વ્યાપક દૃષ્ટિનો ઉપયોગ વધારેમાં વધારે છે વિચાર કરતાં આચારને જ વધારે મહત્ત્વ આપે છે. વળી અત્યારનું જીવન માત્ર ગૃહસંતોષી નથી રહ્યું. અત્યારે તો તાર અને ટેલિફોને સમસ્ત વિશ્વને આપણા ટેબલ પર લાવીને ખડું કર્યું છે. આ જમાનામાં કોઈ ગુફાવાસી થઈ એકલો રહેવા માગે તે સાવ અશક્ય થઈ પડ્યું છે. પોતે જગતથી સાવ વિખૂટો થવા માગે અને ગુફામાં ચાલ્યો જાય, પણ ત્યાં પણ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy