SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ સાથેના નાકરા ચામડાના જોડા સહીત દેરાની અંદર ગયાની જે બીલકુલ ખોટી હકીકત લખા છે તે વ્યાજબી નથી. માટે આયદે એવુ' લખાણ નહી' કરવા અરજદારાની વતી શેઠ આણુંદજી કલ્યાણુજીના મુનીમને આ શેરા બતાવીને કહેવું. તા. ૭ માર્ચ સન ૧૯૦૩ મીતી ફાગણુ શુદ ૮ શની ૧૯૫૯.' (Printed book No. 8) જે જાતની ઘટના બની હતી તેની સામે ન્યાયની માગણી કરવા માટે વાસ્તવિકતા અને ગ*ભીરતા દર્શાવતા શબ્દોના ઉપયેાગ કરવા જતાં તેમાં કેટલાક એવા શબ્દોના પશુ ઉપયાગ કરવા અનિવાર્ય બની ગયા હતા કે જેથી રાજસત્તાને આવી રજૂઆત વસમી અને અપમાનજનક લાગે. પણ પેઢીના પ્રતિનિધિએ માટે આમ કર્યો સિવાય છૂટકો જ ન હતા. એટલે એમણે દરખારશ્રીની નારાજગીના વિચાર કર્યા વગર જ સમુચિત શબ્દોમાં પેાતાની તેમ જ સમગ્ર જૈન સંઘની લાગણી વ્યક્ત કરીને આ બાબતના સતીષકારક ઉકેલ આવે એવી માગણી કરી હતી. પણુ, ઉપર સૂચવ્યું તેમ; એનુ` કશું જ આવકારદાયક કે સતાષકારક પરિણામ ન આવ્યું, તેથી પેઢીના પ્રતિનિધિઓને દુઃખ તા જરૂર થયું પણ નવાઈ ન લાગી. આમાં મુખ્ય વાત તા પોલિટિકલ એજન્ટ મિ. કવીનની સલાહ મુજબ વર્ષોંવાની જ હતી કે જેથી એમની સલાહનુ પાલન પણ થયું ગણાય અને આ ખામતમાં એમને સીધી અરજી કરવાના માર્ગ પણ ખુદ્દો થાય. h પણ એમને બીજી અરજી કરવામાં આવે તે અગાઉ જ તા. ૧૧-૨-૧૯૦૩ ના રાજ ખનેલ ઘટનાનુ પાલીતાણા રાજ્ય તરફથી જે પુનરાવર્તન થયુ. તે ઉપરથી એમ સ્પષ્ટ લાગે છે કે પાલીતાણાના દરખારશ્રીને પોતાના આ પગલા અંગે જરાય દિલગીરી થઈ ન હતી. એટલું જ નહીં, પણ તેઓ રાષે ભરાઈને ખૂબ આવેશમાં આવી ગયા હતા. એમના આ આવેશ એ રૂપે પ્રગટ થયા હતા કે તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ સવારના ૯-૦૦ વાગ્યાના સુમારે રાજ્યના કેટલાક પેાલીસા, પેાતાની સાથે હથિયા૨ા રાખીને પગરખાં પહેરીને અને બીડી પીતાં પીતાં દાદાની માટી ટ્રેકની અંદર છેક રાયણુ પગલાની દેરી સુધી ફર્યા હતા. જૈન સંઘને માટે આ ઘટના બળતામાં ઘી હેામવા જેવી વધારે રાષ, બેચેની અને બીનસલામતિની લાગણીને જન્માવનારી બની હતી. તીર્થની માટી આશાતનાના આ બીજા અનાવના સમાચાર પેઢીના મુખ્ય કાર્યાલયને અમદાવાદમાં પાલીતાણા શાખા તરફથી તાર મારફત મળતાં એણે આ સમાચાર તા. ૧૨-૪-૧૯૦૩ ના રાજ તારથી મુબઈ પેાતાના વકીલશ્રી હરિલાલ મ`છારામને આપ્યા હતા. આ ઉપરાંત પાલીતાણાથી તા. ૧૩-૪-૧૯૦૩ ના રોજ શ્રી છત્રપતસિંગ ગુલાખચંદ ઢઢ્ઢા તરફથી આ સમાચાર તાર દ્વારા મુખઈ શેઠશ્રી વીરચ'દ દીપચ'ને આપવામાં આવ્યા હતા. સાથે સાથે પેઢીએ પણ એ જ તારીખે મુ અઈના સેાલિસિટર શ્રી શૈલાષચંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy