SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૩૧ “શ્રાવક કેમે એ જ હુકમની સામે એક અપીલ મને કરી હતી કે જેને વિષય પાલીતાણાના ઠાકરશ્રીની અરજીમાં રજૂ કરેલ વિષયને લગતે હતે. શ્રાવક કેમની આ અરજી સંબંધી મેં જે નિર્ણય કર્યો હતો તે મારા આપના ઉપરના તા. ૧૪ નવેમ્બર ૧૮૭૮ ના પત્ર નં. ૩૨ થી આપે જાયે હશે. એમાં મેં જણાવ્યું હતું કે આ બાબતમાં મારે દરમિયાનગીરી કરવી પડે એવી કઈ ભૂમિકા મને દેખાતી નથી અત્યારે મારી સામે (દરબારશ્રીના) જે કાગળે છે તેથી મારા અભિપ્રાયમાં કઈ પણ જાતને ફેરફાર થત નથી. અને હું ઈચ્છું છું કે અરજદારને એ વાતની જાણ કરવામાં આવે કે હું એમની વતી આમાં દરમિયાનગીરી કરવાનું નથી.”, આ રીતે ગિરિરાજ ઉપર ગઢની અંદરની અને ગઢની બહારની જમીનના માલિકી હકને લગતા પાલીતાણાના દરબારશ્રી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો હતે. મુંબઈ સરકારે આપેલ પાંચ મુદ્દાને આ ફેંસલે જૈન સંઘને અત્યારે પણ કેટલો ઉપયોગી થઈ પડયો છે તે પેઢીને નિવૃત્ત પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતી વખતે તા. ૭-૩-૧૯૭૬ ના રોજ જે એક માહિતી પૂર્ણ અને સવિસ્તર નિવેદન કર્યું હતું તેમાંની નીચેની બાબત ઉપરથી પણ જાણી શકાય છે: ગિરિરાજ ઉપર, રામપળના દરવાજા બહાર, એક ચાની દુકાન બાંધવા માટે ગુજરાત સરકારે સને ૧૯૬૮ માં પરવાનગી આપી હતી અને એ માટે જમીન પણ વેચાણ આપી હતી. આપણને આ વાતની ખબર પડતાં ગિરિરાજની પવિત્રતા અને મહત્તા તથા આપણું હક્કો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકારે એમને હુકમ પાછો ખેંચી લીધે હતે. સરકારની સમક્ષ આ વાતની રજૂઆત કરવામાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ શ્રી પીલે, સને ૧૮૭૬ માં, મુંબઈ સરકારને મોકલેલ પિતાના અહેવાલમાંના શબ્દ અને મુંબઈ સરકારે સને ૧૮૭૭ માં કરેલ ઠરાવમાંના શબ્દ આપણને બહુ ઉપયોગી થયા હતા. શ્રી પીલે અહેવાલમાં કહ્યું હતું કે–પાલીતાણાના તાલુકામાં આવેલ ડુંગરની બધી જમીન ધાર્મિક કાર્ય માટે અલગ (Reserved) રાખેલી ગણાશે. અને તે જમીનને હિન્દુ ધર્મ વિરુદ્ધ અથવા ધાર્મિક કાર્ય વિરુદ્ધ કોઈ પણ ઉપયોગ કરવામાં આવશે નહીં.” અને મુંબઈ સરકારે પોતાના ઠરાવમાં લખ્યું હતું કે “હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનના હિતસંબંધ ધરાવનાર શસેના હક્કને બાધ નહિ આવતાં, ડુંગરના કેઈ પણ ભાગને ઉપગ શ્રાવક કામના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે.” આ બંને ઉલ્લેખ ગિરિરાજ ઉપરના આપણા હક્કોની સાચવણી માટે હમેશને માટે ઉપયેગી થઈ શકે એવા મહત્વના છે.” કેશવજી નાયકનું પ્રકરણ :ગિરિરાજ ઉપર ગઢની અંદર અને ગઢની બહારની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy