SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ઉપર અત્યારે બીજી કેમના ધર્મની જે મિલકતે અત્યારે વિદ્યમાન છે તેમાં તેમાંથી હરકત કરી શકાશે નહીં. * “(૩) ડુંગર ઉપર ગઢમાં કે કેઈપણ મકાનમાં શ્રાવકેએ હથિયારબંધ પિલીસે રાખવા નહિ. પણ તેઓની મિલકતની સાચવણી માટે જરૂરી હોય એટલા ખાનગી નેકરે રાખી શકાય. “(૪) ડુંગર ઉપર અથવા એની તળેટીમાં દરબારે ચેકિયાત, ચેકી કે થાણું રાખવાં નહીં પણ પિતાની ચાલુ ફરજ બજાવવાને માટે પાલીતાણા રાજ્યની પોલીસને ગઢની અંદર જવાને હક રહેશે. “(૫) ગઢ, તેની અંદરનાં મકાને તથા ડુંગર ઉપર જેન કેમનાં જે કંઈ બીજા મકાન હોય તેના માલિકીહકમાં પાલીતાણાના દરબારશ્રીએ દખલગીરી કરવી નહીં, તેમજ શ્રાવક લોકે ગઢની અંદર મકાન બાંધતા હોય તે તેની જમીન માટે કંઈ વળતર માગવું નહીં. (૬) શ્રાવક કેમ અથવા એની કોઈ પણ વ્યક્તિ ડુંગર ઉપર ગઢની બહાર ધાર્મિક કાર્ય માટે મકાન બાંધવા સારું નવી જમીન લેવા ઈચ્છે તે આવા અરજદાર પાસેથી ઠાકર પ્રમાણસરનું (moderate ) નજરાણું લઈ શકશે. “(૭) પાલીતાણું તાલુકાની હદમાં આવેલ આ આખાય ડુંગરનો વિસ્તાર ધર્મની જગ્યા તરીકે લેખવામાં આવે અને ધર્મની વિરુદ્ધ હોય અથવા કોઈ પણ રીતે ધર્મના માર્ગથી વિરુદ્ધ જતું હોય એ રીતે એનો ઉપયોગ કરશે નહીં. “(૮) આ કલમની પહેલાં આપવામાં આવેલી પાંચ કલમે (કલમ નં. ૩ થી ૭) અંગે કઈ વાંધો ઊભો થાય તે તેને નિકાલ પિલિ. એજન્ટે કરે.” કાઠિયાવાડ પોલિટીકલ એજન્ટ તરફથી આ પ્રમાણે અહેવાલ મળ્યા પછી એ અહેવાલની નકલે મુંબઈ સરકારે પાલીતાણાના દરબારશ્રી તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મોકલીને એ બાબતમાં પિતાને જે કંઈ કહેવું હોય તે પિલિ. એજન્ટ મારફત પિતાને લખી જણાવવા સૂચવ્યું હતું. આ ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીએ તા. ૩૦૮–૧૮૭૬ પહેલાંની કઈ તારીખે એક અરજી લખી મોકલી હતી અને એ અરજીના * મિ. કેન્ટીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગિરિરાજ ઉપર નીચે મુજબ ૧૧ હિંદુઓનાં અને એક મુસ્લિમ ધર્મનું એમ કુલ બાર જૈનેતર ધર્મસ્થાને હતાં. (૧) શિવલિંગ, (૨) વિસત માતાની દેરી, (૩) શરાપૂરાની ફરસબંધી, (૪) અન્નપૂર્ણાની મૂર્તિ, (૫) ગણપતિની મૂર્તિ, (૬) હનુમાનનું મંદિર, (૭) ચકેશ્વરીનું મંદિર, (૮) કાળકાદેવીનું મંદિર, (૯) કાળભૈરવનું મંદિર, (૧૦) ખોડિયાર માતાનું મંદિર, (૧૧) ભીમનું દેવળ અને (૧૨) અંગારશા પીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy