SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ રૂ. ૭૫થી કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક તા. ૩૧-૭-૧૯૨૦ ના ઠરાવથી રદ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૦ માં છાપરિયાળીમાં સખત વરસાદ અને વાવાઝોડાના તારાનથી ઘણુ જ નુકસાન થયુ છે અને લેાકા નિરાધાર થઈ ગયા છે એટલા માટે પેઢીના જે જે મકાનને નુકસાન થયુ. હોય તે સરખુ કરાવી લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. ઈ. સ. ૧૯૨૦માં છાપરિયાળીનાં દુધિયા ઢારના રક્ષણ માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા. --- ― ઈ. સ. ૧૯૨૨ માં અંજારના ૧૦૦-૧૫૦ ઢાર દરેક ઢારના રૂ. ૧૫/ અથવા એકાદ આઠે લઈ છાપરિયાળી રાખવામાં આવશે અને ૫૦૦ ઢોર રાખવાનું ભવિષ્યમાં થશે એવું નક્કી કરવામાં આવ્યુ હતું. ઈ. સ. ૧૯૨૨ માં પાલીતાણા શાખા પેઢીના વડામાંના ત્થા છાપરિયાળી પાંજરાપાળમાંના ઉપયોગમાં નહી લેવાતા ઘેાડાઓ ત્થા ઘેાડીએ ત્યા આખલાએ જે અશક્ત હાય તેવા વેચી નાખવાની પરવાનગી આપવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૨ માં પાલીતાણાથી છાપરિયાળી જઈ આવી શકાય એટલા માટે એક ઊટ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યુ', ઈ. સ. ૧૯૪૨ માં છાપરિયાળી ગામના જુદા જુદા ખેડૂતા પાસેથી રૂ. ૧૦૪૮-૮-૦ જેટલું મહેસૂલ લેવાનું આકી છે. આ લેણુ' જે તે ખેડૂત ખાતે ઉધારીને સારુ' વરસ થયે એ રકમ વસૂલ કરવાનું ઠરાવવામાં આવ્યુ હતુ. ભામના ઇજારાની વાત:- છાપરિયાળીની પાંજરાપાળમાં અપંગ, ઘરડાં અને માંદાં પશુએ જ માટે ભાગે રખાતાં હાવાથી ત્યાંનાં પશુઓનું મરણપ્રમાણુ વધારે હાય તે સ્વાભાવિક છે. એટલે દર વર્ષે ભામનેા ( પશુઓને દાટવાની જગ્યાના) ઇજારા આપવાના થતા. આવા ઇજારા દર વર્ષે આપવામાં આવતા. ઇજારા લેનારાઓને ધારણા પ્રમાણે ઉપજ ન થવાથી કત્યારેક નુકસાન પણ થતુ હોય એવા પણ કેટલાક દાખલા બનેલા છે. આવા પ્રસંગમાં ચમાર, કસાઈ જેવા માણસા સાથે કામ પતુ હાવાથી એમની સાથે કુનેહથી કામ લેવું પડતુ' હતું. આવા પણ કેટલાક દાખલા છાપરિયાળીની પાંજરાપાળના કારોબારમાં નોંધાયેલા હશે. સાથે સાથે એવુ' પણ બન્યુ હાય કે એથી ઈજારાની પૂરેપૂરી રકમ મળી જવા પામી હાય. ભામના ઈજારા અંગેના કેટલાક દાખલા નીચે મુજબ છે : તા. ૩૧-૧૨-૧૮૮૫ના` રાજ એવું ઠરાવવામાં આવ્યું હતું કે જીવા મેામનના કાગળ આવે એટલે જામવાળીના ચમારાને ભામના ઇજારો આપવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy