SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ શ્રી દરબાર મહારાજ શ્રી અખેરાજજી વાં? શેઠ આણંદજી કલ્યાણજી જત છાપરીઆલી પ્રગણે મહુવાનું ગામ તમને દરબારે પરથમ રૂ. ૨૫૧/ની રકમથી ઈજારે આપેલ પણ હાલમાં વડીલ મહારાજ શ્રી વિજ્યસંઘજી દેવ થતાં એ ગામ ખોડાઢોરમાં ધરમાદા આપુ છે. માટે હવેથી તે રકમનાં રૂપીઆ લીધામાં નહીં આવે ને એ ગામને વહીવટ તમામ તમે કરજે તેમાં કઈ દિવસ કશી વાતે હરકત થાશે નહીં એ ગામ તમને આપ્યું છે તે વિસ પરંપરા પાલામાં આપશે. - સંવત ૧૯૦૮ના ચૈિત્ર વદ- ૧૧. ૩ (તારીખીયા મુજબ આ તિથીએ તા. ૧૫૪-૧૮૫૨ હતી.). (નોંધ :-આ દસ્તાવેજ શુદ્ધ રૂપમાં પૂરેપૂરે વાંચી શકાયું નથી. એટલે જેઓએ સાચે સાચું લખાણ વાંચવાની ઈચ્છા હોય તેઓએ આ દસ્તાવેજની છબી આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે તે જેવી). . આ દસ્તાવેજ ઉપરથી એટલું તે જાણી શકાય છે કે પેઢીએ છાપરીયાળી ગામ જીવદયાના કામ માટે વાર્ષિક રૂ. ૨૫૧/ ઠરાવીને ભાવનગર રાજ્ય પાસેથી ઈજારે રાખ્યું હતું. પરંતુ એ જાણી શકાયું નથી કે આ ઈજારાની શરૂઆત કઈ સાલથી થઈ હતી. ક્ષેત્રફળ :- આ છાપરિયાળી ગામ ત્યા સીમની મળીને કુલ જમીન ૩૬૦૪ એકર, અર્થાત ૯૦૧૦ વીઘા થાય છે. આટલી જમીન એને ગામ સાથે વિ. સં. ૧૯૧૧ની સાલમાં ભાવનગર રાજ્ય તરફથી પેઢીને દાનમાં મળી હતી અને એ ગામ જીવદયાની પ્રવૃત્તિ માટે ભેટ આપેલું હોવાથી એના ઉપર કોઈ પણ જાતની મહેસુલ ભાવનગર રાજ્ય તરફથી વસુલ કરવામાં આવતી ન હતી, પરંતુ સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ રાજ્યનું વિલીનીકરણ થયું તેમાં કાયદા પ્રમાણે બારખલી ધારે લાગુ પડયો. એટલે સાડાપાંચસો વીઘા જમીન ખેડૂતોના તાબામાં હતી તે તેમને આપી દેવામાં આવી. આ સિવાયની જમીન પિઢી પાસે છે. આ જમીનમાંથી છસો વીઘા જમીનમાં વાવેતર થાય છે અને બાકીની જમીનમાં બીડ છે જેનું કાયદેસર મહેસુલ પેઢી ભરે છે. ખેડૂતોને આપેલી જમીનનું વળતર સરકાર પેઢીને આપે છે. શ્રીકૃષ્ણકુમારસિંહજીને નિયમ:-અહીં એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે ભાવનગરના છેલ્લા ત્યાગમૂર્તિ રાજવી શ્રીકૃષ્ણકુમારસિંહજી જ્યારે જ્યારે છાપરિયાળી ગામ આવતા ત્યારે એ ગામનું પાણી સુદ્ધાં પીતા ન હતા, કારણ કે એ ગામ જીવદયાના કામ માટે ભેટમાં આપવામાં આવેલું ધર્માદા કરેલું ગામ હતું. (ગામની જમીનના આંકડા સાથેની અહી સુધીની હકીક્ત સને ૧૯૮૦ની સાલમાં પાલીતાણા પાસે આવેલ શેત્રુજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy