SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ચતુવિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસમાં પહેલા ભાગનાં ત્રીજા પ્રકરણ (પૃ. ૧૩)ના ખીજા પેરેગ્રાફમાં મેં આ પ્રમાણે નાંધ્યુ છે “તી 'કર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તીથ ને નમસ્કાર કરે છે તે, સ્થાવર નહી' પણ જગમ એટલે કે ચેતન તીથ છે, અને તેને ભાવતી પણ કહેવામાં આવે છે. ધર્મની પ્રરૂપણા માનવીના કલ્યાણ માટે કરવામાં આવે છે; અને ધમ ના લાભ મેળવીને પેાતાના જીવનને દોષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાના પુરુષાર્થ કરનાર માનવી તીના જેવા આદરણીય છે, એ એની પાછળના ભાવ છે. તેથી જ તીર્થંકર ભગવાન પાતાના ધર્મસંઘના અગરુપ અને માક્ષમાર્ગી ધર્મનું અનુસરણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સધને તીથ' તરીકેનું ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે છે. પેાતાના ધર્માંસ'ધના અ'ગરૂપ સાધકોને આવુ. ગૌરવ આપવાની જૈનધર્મની આ પ્રણાલિકામાં વિરલ અને જૈન સસ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય એવી છે; બીજા કોઈ ધમે પોતાના અનુયાયીઓને તીથ તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હોય એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રકારોએ “સાધુ–સતાનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ-સ ંતા એ તીર્થ સ્વરૂપ છે.” એમ જે હ્યુ છે, એના ભાવ પણ જૈનધર્મની જંગમતીર્થની ભાવનાને પુષ્ટ કરે એવા જ છે.” જ'ગમતી રૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેનુ સ્થાન જૈન પર’પરાના રક્ષણની દૃષ્ટિએ અને સવર્ધનની દૃષ્ટિએ શરીરની કરોડરજ્જુ જેવું મહત્ત્વનું છે. સંઘરુપ શરીરની સાચવણીમાં એ અતિ અગત્યની કામગીરી બજાવે છે. આ ચતુર્વિધ સંઘનુ આટલું. અધું મહત્ત્વ હાવાથી તીથ કર દેવ પણ એને માટેનો તિથલ 'શબ્દનુ ઉચ્ચારણ કરી એને નમસ્કાર કરે છે તે જૈન સ’ધમાં સુવિદિત છે. વળી આ ચતુર્વિધ સંઘનુ જૈન પર પરામાં આટલું બધુ મહત્ત્વ હોવાથી જે સાત ક્ષેત્રમાં એ ચારેને પણ દાખલ કરવામાં આવ્યાં છે, અને એ રીતે જ ગમતીરૂપ આ ચતુર્વિધસ ધની રક્ષાને ધકૃત્ય લેખવામાં આવ્યુ છે. આટલા માટે જ પેઢીના વિશાળ કાર્ય ક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સેવાભક્તિના સંમાવેશ કરવામાં આવ્યે છે જેની કેટલીક વિગત નીચે મુજબ છે, સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ એ વાત સૌ કાઈ જાણે છે કે, જૈન શાસનમાં ત્યાગવૈરાગ્ય સયમ અને તપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy