SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર શેઠ આ કટની પેઢીને ઈતિહાસ ફરમાન-૭ સ્થાનકવાસી ફિરકાની ફરિયાદ અંગે બાદશાહ શાહજહાનું ફરમાન ૨૭ માહે રજબ હિ. સ. ૧૦૫૪ (ઈ. સ. ૧૬૪૮)નું શાહજંહાનું ફરમાન જેમાં ગુજરાતના જૈન ધર્મના લોકાશા અથવા સ્થાનકવાસી પંથના મહાજનોએ શાહજંહાના દરબારમાં જઈને ફરિયાદ કરી કે શ્રી શાંતિદાસ અને સૂરદાસ એમના પંથના લેકે જોડે ભોજન કરતા નથી. - શાહજહાએ આદેશ આપ્યો કે બેટી વ્યવહાર અને સહભજન બને પક્ષોની મુનસફીની વાત છે એમાં કઈ કઈને દબાણ કરી શકે નહીં. તેમ છતાં શાહજહાએ ગુજરાતના સૂબેદારને સૂચના આપી કે આ અંગે બન્ને પક્ષો વચ્ચે જે કઈ વિખવાદ-વિવાદ થાય તે ધાર્મિક નિયમો પ્રમાણે તેને નિકાલ લાવ. તુગા : અબુલ મુઝફર શિહાબુદ્દીન મોહંમદ શાહજંહા, સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી. મહેર:અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજંહ બાદશાહે ગાઝી હિ. સં. ૧૦૪૬. ફરમાન-૮ જમીન અંગેનું બાદશાહ શાહજહાનું ફરમાન પરગન હવેલીમાં આવેલ જે અસારવા ખાતે ૩૦ વીઘા જમીન અને એક વે બાગ માટે વર્ધમાન, પંજ, શાંતિદાસ અને સૂરદાસને અને એમના સંતાનને શાહી ફરમાન મારફતે આપવામાં આવેલ. એમાંથી વર્ધમાન અને પંજૂ મરણ પામ્યા, એ ૩૦ વીધા હવે શાંતિદાસ અને વખતના કાયદેસરના વારસદારોના હિસ્સામાં આવી હતી જેમાં મરનારાઓના વારસદારે રતનજી અને લક્ષ્મીચંદ પણ હતા. શાહજંહાએ અગાઉના શાહી આદેશ મુજબ એ જમીન શેઠ શાંતિદાસ અને એમનાં સંતાનોના હિતમાં ઇનામ તરીકે ચાલુ રાખવા માન્યતા આપી, ગુજરાતના અધિકારીઓને આદેશ આપ્યો કે એ જમીનમાંથી ટેક્ષ પેટે ફળ વગેરે લેવી નહીં તેમ જ કોઈપણ પ્રકારને ટેક્ષ નાખવે નહીં અને અડચણ ઊભી કરવી નહીં. ૮ સફર રાજ્યાભિષેકનું ૨૦ મું વર્ષ; હિ. સં. ૧૦૫૭. (ઈ. સ. ૧૬૪૭). ફરમાન-૮ A જમીન અંગે બાદશાહ શાહજહાનું બીજુ ફરમાન સમિરાત સૈયદ જલાલ માહે ઝિલહજ્જ, રાજ્યાભિષેકનું ૨૦મું વર્ષ, હિ. સં. ૧૯૫૬ માં પ માહે ખુરદાદ ઇલાહી સન એક પ્રમાણે હવેલી પરગનામાં મોજે અસારવામાં આવેલ ૩૦ વીઘા જમીન અને એક કૂવ વર્ધમાન, પંજૂ, શાંતદાસ અને સુરદાસ તેમજ તેમનાં સંતાનોને બાગ માટે ઇનામ તરીકે આપી હતી. વર્ધમાન અને પંજૂ આજે મરણ પામ્યા છે. હવે એ જમીન ઉપર શાંતિદાસ અને રતનછ વગેરેને કે જેઓ જીવે છે અને મરનારના વારસદારોને કબજે ભગવટો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy