SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ શેઠ આર કટની પેઢીને ઈતિહાસ બુલંદ ઈકબાલ મહંમદ દારા શુકર પાદશાહ મહંમદ મુરાદબક્ષ. શુક્રવાર ૧૮ માહે શાબાન ૨૧ મું રાજ્યાભિષેકનું વર્ષ ૧૨ માહે મર્દાદ ૨૦ સને ઈલાહી. દેવી ઈલકાબવાળા ....વગેરેના માધ્યમથી, વિવિધ મદાસબ મહામ ઈલ્કાવાળા મોઅઝઝમખાનની મારફતે વિવિધ ઈલકાબવાળા..મોહંમદ કાઝિમની વાકેનવીસી દરમ્યાન તેંધાયું. - અમદાવાદમાં સેરઠ સરકારને હસ્તક પાલીતાણા કે શેત્રુ જાના નામથી ઓળખાય છે. વિવિધ ઇલકાબવાળા શાહઝાદાની જાગીર છે. તેની મહેસૂલ બે લાખ દામ છે તે ખરીફની શરુઆતથી શાંતિદાસ ઝવેરીને અલતમગા (બક્ષીસ) તરીકે આપવામાં આવે છે. શાહજાદાના માધ્યમથી, ફરીથી રજૂ કરવું મરક શેખની કલમે નેધાયું. ૧૯ માહે શાબાન, રાજ્યાભિષેકનું ૩૧ મું વર્ષ. (ઈ. સ. ૧૬૫૧). (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૪). * સનદ-૫ પરમેશ્વરના નામથી શરુ અબુલ મુજફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિસાનસાનીના હુકમથી સને ૧૦૪૯ મુરાદબક્ષ બીન મેહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાનીની મહેર. હાલના તેમજ ભવિષ્યના સેરઠ સરકારના અગત્યનાં કામો સંભાળતા મુત્સદ્દીઓ, શાહી અમદષ્ટિનાં ઉમેદવાર થઈને જાણે કે આ સમયે, આ જમાનાની સર્વોત્તમ વ્યક્તિ શાંતિદાસ ઝવેરીએ આવીને ભવ્ય દરબારમાં મોજે પાલીતાણુમાં હિન્દુઓનું એક ધર્મસ્થાન છે જે શેત્રુંજાના નામે ઓળખાય છે, આસપાસના લોકો ત્યાં તીરથ માટે આવતા રહે છે. આથી ભવ્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે ઉપર્યુક્ત ગામ ખરીફની શરુઆતથી મજકૂર સર્વશ્રેષ્ઠ વ્યક્તિને ઈનામ તરીકે આપ્યું છે, હવેથી મજકુર ગામ એમનું છે એમ સમજવું, અને તેમાં કઈ દખલગીરી કરવી નહીં, જેથી આસપાસના લકે ત્યાં નિરાંતે તીરથ માટે આવતા રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy