SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક બાદશાહી ફરમાને તેથી જગતમાન્ય, આકાશ જેટલે ઉચ્ચ આદેશ આપવામાં આવે છે કે કેઈએ ઉપર્યુક્ત ઘરે કે રહેઠાણમાં પડાવ નાખ નહીં કે તેમની આસપાસ જવું નહીં કેમ કે એમને (જેનોને) બક્ષવામાં આવ્યા છે. સાગર અને સરકન નામના ગ્રંથને પાઠ કરતાં સેવડા (શ્રાવકો) કે જે ગુજરાતમાં વસે છે તેમણે માંહોમાંહે ઝઘડવું નહીં અને આજ્ઞાને અનાદર કરવો નહીં અને અમરત્વ પામેલ રાજ્યનું સાતત્ય પ્રાર્થતા રહેવું. ત્યાંના હાકેમ અને સુબેદારોએ આ પ્રમાણે વર્તવું અને કેઈન દ્વારા થતા અનાદરને ચલાવી ન લેવો. તા. ૨૧ માહે આઝર, ઈલાહી વર્ષ ૨ (ઈ. સ. ૧૬૦૬). (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૩). સનદ-૪ પરમેશ્વર મટે છે. અબુલ મુઝફફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીનું ફરમાન આ દિવસોમાં એક ભવ્ય આદેશ બહાર પડ્યો કે અમદાવાદમાં, સેરઠ સરકારને હસ્તક પાલીતાણું કે શેત્રુંજાના નામથી ઓળખાય છે. શાહજાદા મુરાદબક્ષની જાગીર છે કે ભાગ્યશાળી, નસીબદાર, રાજ્યની આંખની ઠંડક, ઉરચતાની સંજ્ઞા, સામ્રાજ્યને નવાં ઉગેલ છેડવા....વગેરે સમાન છે. તેની મહેસૂલ બે લાખ દામ છે, તે હવે ખરીફની શરૂઆતથી શાંતિદાસ ઝવેરીને અલતમા તરીકે ઈનામ આપવામાં આવે છે અને એમને સુપ્રદ કરવામાં આવે છે. હાલના તેમજ ભવિષ્યના ઉરચ કુળના નબીરાઓ, ભવ્ય વઝીરે, દીવાની કામના મુત્સદીઓ, હાકેમ, સુબેદારો, જાગીરદારો અને કોડીઓએ આ પવિત્ર આદેશને ચાલુ રાખવા અને તેને આચરવાને પ્રયત્ન કરે અને ઉપર્યુક્ત પરગણુને વંશપરંપરાગત, પેઢી દર પેઢી મજકૂર વ્યક્તિના કજામાં તેમજ તેના અનુગામીઓના કબજામાં રહેવા દેવું. ત્યાંનાં બધાં જ ટેક્ષ, મહેસુલ વગેરે માફ કરવામાં આવે છે. આ અંગે પ્રતિવર્ષે નો આદેશ ન માગે અને આદેશનો અનાદર ન કરે. તા. ૧૯ પવિત્ર માહે રમજાન. રાવાભિષેકને ૩૧ મે વર્ષ હિ. સં. ૧૦૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy