SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ રૂપીઆ દસ હજારમાં પેઢીને વેચાણ આપેલ છે અને બાકીના ૧૧/૨૧ના ભાગના બદલામાં પેઢીએ શ્રી હેમતસીંગ તથા દેલતસીંગને ત્રણ પેઢી સુધી દર વર્ષે રૂ. ૧૧૦૦ અંકે અગી આરસ ફક્ત આપવાના છે. ૪. બારોટ બાપુભાઈ લલ્લુભાઈને દર વરસે રૂ. ૨૧૦૦ આપવાના છે. પરંતુ તેમને તેમના કુટુંબની જરૂરીયાત માટે તથા રીત ખાતર મકાન ઉપર થાલગીરે (કબજો સાથેનું ગિરોખત) કરજ હોવાથી કરજ ભરવા માટે રૂ. ૪ર૦૦ અંકે ચાર હજાર બસો ફક્ત બાપુભાઈએ પેઢી પાસેથી એડવાન્સ ઉપાડેલ છે તે એડવાન્સ રકમ પાંચ વરસમાં વ્યાજ સાથે પાંચ વારસીક હપ્તાથી ભરપાઈ કરી આપવાના છે. ચાલુ જમાનાની પરિસ્થિતિ અંગે સગીરનું હીત ધ્યાનમાં રાખી સગીરાના વાલી પીતા તરીકે અમોએ આ ગોઠવણ કરેલ છે અને તે ગોઠવણ દરેક રીતેસગીરેનાં હિતમાં છે અને તેના અંગે સગીરેનાં હીત બાબતમાં નામદાર ડીસ્ટ્રીકટ કેર્ટમાંથી દી. ૫. સ. નં. ૨૧ થી હીંદુ માયનેરીટી એન્ડ ગાડીયનશીપ એકટ ૧૯૫૬ નીચે અરજી કરી તા. ૯-૮-૫૭ના ઠરાવથી મંજુરી મેળવી લીધેલી છે. તે મંજુરી અન્વયે સગીરનાં વાલી પીતા તરીકે સગીરાનું હીત ધ્યાનમાં રાખી આ સમજુત કરવામાં આવેલ છે. ૫. યાત્રાળુઓ તરફથી આવક દીન પ્રતિદીન ઘટતી જાય છે અને આવક લેવા માટે અમે બારોટને હાજર રહેવું પડે છે અને પગારદાર માણસો રાખવા પડે છે અને ખર્ચને બે વધી જાય છે. તેમજ બીજો કાંઈ કામધંધે થઈ શકતા નથી તેથી ઉપર મુજબ ગોઠવણ કરવામાં આવેલ છે તે અમે બારેટ બાપુભાઈ લઘુભાઈના સગીર પુત્રોના તેમ જ અમો તમામ લખી આપનારાઓના હીતમાં હોવાથી આ દસ્તાવેજમાં જણાવેલ સમજત કરી અમારે બારોટ તરીકેને હક ઉપર જણાવ્યાની મુજબની ત્રણ પેઢી સુધીના વર્ષાસનના બદલામાં છોડી આપીએ છીએ. ૬. ઉપર મુજબ ઠરાવેલી રકમ અમે બારેટાની ત્રણ પેઢી સુધીના પુરુષ વંશને જ શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢીએ આપવાની છે ત્યારબાદ પેઢીએ કાંઈ આપવાનું નથી અને અમો બારોટે. કાંઈ લેવા હકદાર નથી. ૭. ત્રણ પેઢી એટલે બારેટ બાપુભાઈ લલ્લુભાઈ તેના દીકરા અને બાપુભાઈ લધુભાઈના દીકરાના દીકરા અને હેમતસીંગ તથા દલિતસીંગના દીકરા અને દીકરાના દીકરાઓ ગણવાના છે. ૮. ત્રણ પેઢીના છેલ્લામાં છેલ્લા પુરુષ વારસની હયાતી સુધી આ ઠરાની રકમ બારે લેવા હકદાર છે અને ઉપર જણાવેલી વિગત પ્રમાણે આપવાને પેઢી બંધાયેલ છે. વારસદારે ગમે તેટલા હેય પરંતુ શ્રી બાપુભાઈ તથા તેમના વારસદારો તરફથી એક એક મુખ્ય હૈયાત, વારસદારનું નામ પેઢીમાં રજૂ કરવામાં આવે તેને ઠરાવેલી રકમ, ઉપર જણાવ્યાની મુજબની ત્રણ પેના છેલ્લા હૈયાત પુરુષ વારસ સુધી આપવાની છે. ૯. આ રકમને હક બાર શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી સીવાય બીજા કેઈને વેચાણ કે ટ્રાન્સફર કે એસાઈન કરી શકશે નહીં. ૧૦. આ વર્ષાસનની રકમ અમે બારોટની ત્રણ પેઢી સુધીના પુરુષ વંશજ હૈયાત હોય ત્યાં સુધી આપવાની છે. કેઈપણ સંજોગેમાં બે માંથી કાઈના વંશમાં પુરુષ વર્ગ હૈયાત ન હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy