SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો પુસ્તકની કિંમત રૂા. ૧૫ છે. શ્રી શત્રુંજય તીર્થ ઉપર થયેલ જીર્ણોદ્ધાર અંગેની માહિતી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનાં તા. ૭-૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૩થી ૫) વિગતવાર આપવામાં આવી છે.) ગિરિરાજના મુખ્ય માર્ગ ઉપર તથા ઘેટીની પાગે પગથિયાં પેઢીના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટી મહાનુભાવોએ જોયું કે ગિરિરાજ ઉપર ચઢવાને માર્ગ ઘસાઈ ગયે છે અને તેથી યાત્રિકોને ચઢવામાં અસુવિધા રહે છે. એવી જ સ્થિતિ ઘટીની પાગના રસ્તાની પણ હતી. આ ઉપરથી બને રસ્તાઓનું સમારકામ કરવાનું નક્કી ક્યને ત્યાં ચઢવામાં સુગમતા પડે એટલી (પાંચ-છ ઇંચ જેટલી) ઊંચાઈવાળાં પગથિયાં અનાવવાની યોજના તૈયાર કરવામાં આવી. આમાં પહેલાં મુખ્ય રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. આ કામ સને ૧લ્પથી સને ૧૫૬ સુધી ચાર સાલ સુષ્ટ થાણું અને એમાં રૂા. ૪,૬૦,૦૦૦- અંકે રૂપિયા ચાર લાખ, સાઈઠ હજારના ખર્ચે ૩૨૧૬ (બત્રીસસો સળ) પગથિયાં બનાવવામાં આવ્યાં અને તે પછી ઘેટીની પાગના રસ્તે સને ૧૯૬૫ની સાલમાં ૧,૧૮,૦૦૦-એક લાખ, અઢાર હજારના ખર્ચે પગથિયાં બનાવવામાં આવ્યાં. ચાની દુકાનને પરવાને રદ કરાવ્યો જૈન સંઘના અંતરમાં ગિરિરાજ શત્રુંજયની પવિત્રતાની છાપ એવી ઊંડી પડેલી છે કે ગિરિરાજ ઉપર ખાવા-પીવાની સામગ્રી લઈ જવી અને એનો ઉપયોગ કરે એને દેષ લેખવામાં આવે છે. આમ છતાં આ વાતથી પોતે અજ્ઞાત હોવાને કારણે, કે બીજા ગમે તે કારણે, ગુજરાત સરકારે સને ૧૯ ૬૮ની સાલમાં ગિરિરાજ ઉપર, છેક એના પહેલા પ્રવેશદ્વાર રામપળના પ્રવેશદ્વારની બહાર, એક ચાની દુકાન બાંધવા માટે પરવાનગી આપીને એના માટે જમીન પણ વેચાણ આપી હતી. આ વાત પેઢીના ધ્યાન પર આવતાં તરત જ એની સામે ગુજરાત સરકાર સમક્ષ એવી નકકર રજુઆત કરવામાં આવી હતી કે જેને લીધે સરકારને પિતાને આ હુકમ પાછો ખેછી લેવાની ફરજ પડી હતી. આ રીતે ખાનપાનની સામગ્રીનો છૂટથી ઉપગ થઈ શકે એવી સવલતને કારણે ગિરિરાજની આશાતના થવાને તેમજ જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાવાને જે પ્રસંગ ઊભું થવાની શક્યતા હતી તે અટકી ગઈ હતી. મ્યુઝિયમ વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ્રાચીન હસ્તપ્રતમાં દેરવામાં આવેલ ચિત્રના આધારે ભગવાન આદેશ્વરના જીવનનું દર્શન કરાવતાં છ મેટાં ચિત્રો દેરાવવામાં આવ્યાં હતાં. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy