SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ સ્ટેમ્પ ખરીદવા જોઈતા હતા. એટલે કે જે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા છે તે રૂા. ૧૮,૬૦૦- જેટથી એછી રકમના છે. આ અંગે પાલીતાણાના જુનિયર જજ સમક્ષ કામ ચાલતાં તેમણે ખાકીના ૧૮,૬૦૦- રૂપિયા અને એ રકમ કરતાં દસ ગણી રકમ એટલે રૂા. ૧,૮૬,૦૦૦−/ (અંકે રૂા. એક લાખ છયાશી હજાર) દ'ડ તરીકે ભરવાના પેઢીને તા. ૨૭-૪-૬૬ના રાજ આદેશ આપ્યા. આવા ફૈસલેા આવ્યા પછી આ ખામતમાં શરૂઆતમાં જે એછે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા તેમાં પેઢીના ઇરાદા સ્ટેમ્પની રકમની ચારી કરવાના મુદ્દલ ન હતા એ હકીકત, ભાવનગરના કલેકટરની સલાહ મુજબ જ રૂા. ૧૩,૪૦૦ના સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા એ ઉપરથી, પુરવાર થતી હતી. એટલે આ વાતની રજૂઆત ભાવનગરના કલેકટરશ્રી સમક્ષ કરવામાં આવતાં તેમણે, પોતાની સત્તાની રૂએ, માત્ર પ્રતીક તરીકે, રૂા. ૧૦૦૦ના જ દંડ કાયમ રાખીને એટલી રકમ ભરવાના પેઢીને આદેશ કર્યાં. અને દંડની એ રકમ તથા સ્ટેમ્પની બાકીની રૂા. ૧૮,૬૦૦ની રકમ-એમ કુલ રૂા. ૧૯,૬૦૦-/ ભાવનગરના કલેકટરની ઓફીસમાં તા. ૨૫-૭-૧૯૬૭ના રાજ ભરી દેવામાં આવ્યા હતા. દાદાની માટી ટૂકમાં છીદ્વાર જેવા ફેરફાર ગિરિરાજ શ્રી શત્રુ...જય મહાતીર્થ ઉપરની જૈન સ`ઘની આસ્થા બેનમૂન કહી શકાય એવી છે એના એક ખેલતા પુરાવા તા એ છે કે ગિરિરાજ ઉપર નાનાં-મોટાં મળીને આશરે એક હજાર જેટલાં જિનમદિરા તેમજ દેરીએ બનેલ છે અને એમાં પધરાવવામાં આવેલ પાષાણુની તેમજ ધાતુની પ્રતિમાઓની સખ્યા લગભગ અગિયાર હજાર જેટલી છે અને પગલાં પણ ઘણી માટી સખ્યામાં પધરાવવામાં આવેલ છે. તેમાંય દાદાની મુખ્ય ટૂકમાં, એટલે કે હાથીપાળમાં, કોઈ પણ સ્થાને માટું દેરુ' અથવા તા નાની સરખી દેરી બનાવવાની જૈન ભાઈ એ મહેનાની ભાવના એટલી ઉત્કટ રહે છે કે જેથી ત્યાં સખ્યાખધ દેરાસરા તેમજ દેરી ખધાવવામાં આવેલ છે. આ રીતે જુદા જુદા સમયે જે દેરાં કે દેશી ખંધાતાં રહ્યાં, તેથી ત્યાં ખાલી જગ્યાના લગભગ એવા અભાવ શ્રીસંઘના જોવામાં આવ્યા કે જેને કારણે વિ. સ. ૧૮૬૭ના ચૈત્રી પૂનમના પવિસે પાલીતાણામાં એકત્ર થયેલ જુદાં જુદાં ગામેાના સહ્યેાને ભેગાં મળીને એ મતલખના ઠરાવ કરવાની ફરજ પડી કે હવેથી કાઈ એ હાથીપાળમાં નવુ' દેરાસર બંધાવવુ' નહી. અને જે વ્યક્તિ આ નિયમના ભરંગ કરશે તે શ્રીસ'ઘના ગુનેગાર ગણાશે. આ વાતની શ્રીસ`ઘને હંમેશને માટે જાણ થતી રહે એટલા માટે આ મતલબના એક શિલાલેખ પણ દાદાની ટૂંકમાં લગાડવામાં આવ્યા હતા, જે અત્યારે પણ વિદ્યમાન છે. મા નિયમમાં જણાવ્યા મુજબ માટી ટ્રેકમાં દેશસર કે ઢેરી નહી અધાવવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy