SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શેઠ આવકની પેઢીને ઇતિહાસ કરીશું અને તેમ કરવામાં કસુર કરીએ તે આપને યોગ્ય લાગે તે પગલાં આપ અમારી સામે લઈ શકો છો અને આપના આવા કઈ પણ પગલા સામે અમારે કાંઈ પણ કહેવાનો અધિકાર રહેશે નહીં. ત્રણ વરસ બાદ અમારી જ્ઞાતિના કેઈ પણ સક્ષ તરફથી આપને કાંઈ પણ અસંતેષનું કારણ નહીં મળતાં આ રૂ. ૫૦૦ આપ અમને પ્રત કરશે તેવી વિનંતી છે. તા. ૯ નવેમ્બર સને ૧૧. (આ લખાણની નીચે પાલીતાણાની બારોટ જ્ઞાતિ વતી નાનુ લખમણ વગેરે ૧૧ આગેવાનોની સહીઓ છે જે ઉકેલાતી નથી.) બારેટના હક બાબત સમાધાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપરનાં તેમજ પાલીતાણા ગામમાંનાં દેરાસરમાં મૂકવામાં આવતાં ચેખા, બદામ, નારીયેળ, પૈસા વગેરે લેવા અંગે જૂના વખતથી પાલીતાણુમાં વસવાટ કરી રહેલ બારોટ કોમ કેટલાક હક્કો ભેગવતી હતી. આ હક્કો કેવા પ્રકારના હતા અને તેથી બારેટ કે મને દેરાસરમાંની કઈ કઈ વસ્તુઓ લેવાનો હક્ક મળતો હતું તથા તેનાથી એને કેટલો આર્થિક તેમજ બીજા પ્રકારને લાભ થતો હતો તે હકીકત, પેઢીના દફતરમાં સચવાયેલ દિગંબર જૈન સંઘની, વિ. સં. ૧૫૧ ની સાલની, એક યાદી ઉપરથી જાણી શકાય છે. સંવત ૧૯૫૧ની સાલમાં દિગંબર જૈન સંઘે પાલીતાણા શહેરમાં એક દેરું ચણાવેલું અને એ દેરાની પ્રતિષ્ઠા કરવાની હતી. તે વખતે દિગંબર જૈન સંઘ પાસે બારેટ કોમે પિતાને હક્ક રજૂ કર્યો, તે ઉપરથી પાલીતાણા રાજ્યની હજૂર કેર્ટમાં દિગંબર જૈન સંઘના આગેવાન તરફથી એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેને ફેંસલે પાલીતાણા રાજ્યના દિવાન તરફથી તા. ૧૫-૨-૧૮લ્પના રોજ આપવામાં આવ્યું હતું. આ ફેંસલાની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે– “જેન દિગંબર ધર્મના શેઠીયા હરીભાઈ દેવકરણ થા મેતીચંદ પ્રેમચંદ સ્થા શા. માણેકચંદ પાનાચંદ ઝવેરીની અરજી તા. ૧ જાનેવારી સને ૧૮૯૫ની આવી જેમાં લખે છે કે અમાએ પાલીતાણા શહેરમાં જમીન લઈ દેવળ ચણાવેલું છે. એ દેવળમાં અમારા મહાપ્રભુજીની પ્રતીષ્ઠા આવતા મહા માસમાં કરવાની છે. તે શુભ પ્રસંગ ઉપર અમારે ઘણું પિસા ખરચી મટે છવ કરવાનું છે તેમાં સ્વસ્થાન મજકુરના રહીશ ભાટ લોકે કે જેને અમારા ઉપર ધર્મ સંબંધી કાંઈ પણ હક નથી છતાં અમારા ઉપર નો હક કરવા એ લોકોની ધારણું છે ને તેથી એ લોકે જથાબંધ અમારા દેરા પાસે ભેલા થઈ અમને પુંજા વગેરેમાં હરકત કરે છે તેને બંદોબસ્ત થવા વગેરે મતલબની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy