SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શેઠ આ૦ ૦ની પેઢીના ઇતિહાસ જરૂર રહેતી ન હતી. આમાં એટલી શરત રાખવામાં આવી હતી કે એને ઉપચેગ જાહેર જનતા પણ કરી શકે. વળી કરારની આઠમી કલમમાં જે સાત રસ્તાઓની સાચવણી અને એનુ સમારકામ કરવાની જવાબદારી પાલીતાણા રાજ્યની ગણવામાં આવી હતી તેમાં શ્રી પૂજજીની ટૂક સુધીના મેાટા રસ્તાના પણ સમાવેશ કરવામાં આવ્યા છે. (૨) કેનેડીના રીપોર્ટમાં અગારશા પીરની દરગાહ સહિત જે અજૈન દેવસ્થાના ઉપર જૈન કોમના અધિકાર હાવાનું જણાવ્યું હતુ. તેમાંથી મહાદેવની દેરીને ખાદ કરીને બાકીનાં બધાં અજૈન દેવસ્થાના ઉપર જૈનોની માલિકી સ્વીકારવામાં આવી હતી. અર્થાત અ‘ગારશા પીરની દરગાહ ઉપર તેમજ તેની સાચવણી તેમજ સમારકામ અંગે મુસલમાન જમાતના અધિકાર હોવાના જે વિવાદ પાલીતાણા રાજ્યની ચઢવણીથી ઊભા થયે। હતા તેના આથી અંત આવ્યા હતા અને એ દરગાહ સંબધી બધી સત્તા જૈન ક્રામને મળી હતી. (૩) મહાદેવના મંદિરની માલિકી જૈનોની નહીં હાવાનું સૂચવીને એ ગઢની બહાર દેખાય એ રીતે એક નવી વડી અને ત્યાં પહાંચવાના સ્વતંત્ર માર્ગ મનાવવાનું આ કરારની નવમી કલમમાં સૂચવવામાં આવ્યું હતું. આ રીતે ત્રણેય વિવાદાસ્પદ ખાખતાના આ કરારથી નિકાલ આવી જતા હતા. ઉપસ’હાર પાલીતાણા રાજ્ય સાથે જૈન કામને થયેલ ઝઘડાની જે વિગતા ઉપર આપવામાં આવી છે તે તા મુખ્ય મુખ્ય ઝઘડાને ધ્યાનમાં રાખીને જ. બાકી તા આ ઉપરાંત નાની માટી ખામતાને લઈને અવારનવાર ઝઘડા ઊભા થતા જ રહ્યા છે. જેવા કે—કુડ ઉપરનાં પાટિયાં રાજ્યે ખસેડી નાખ્યા બાબત; કુંડના ગાળ કાઢતી વખતે એ ગાળ પહાડની જમીન ઉપર નાંખવા બાબત, ધમ શાળાઓની જમીન ખાખત; પેઢીના સિપાઈ એને શસ્ત્ર રાખવાની અનુમતિ આપવા ખાખત; શેઠ માતીશાની ટૂક ખાખત; રહિશાળાના રસ્તા ખખત, જકાત બાબત વગેરે વગેરે. વળી જ્યારે કોઈક વાર કાઠિયાવાડના કાઈક પાલિટીકલ એજન્ટને માટે પાલીતાણાના દરખારશ્રી તરફથી શ્રાવક કામની અવારનવાર થતી કનડગત અંગે નીચે મુજમ આકરા શબ્દોમાં ચેતવણી આપવાનું જરૂરી બન્યું તે ઉપરથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે પાલીતાણા દરબાર અને શ્રાવક કામ વચ્ચે કેવા કડવા સબધા પ્રવર્તતા હતા. અન્ને પક્ષકારી શાણી સલાહને કાને ધરવાને બદલે, જો છરીનુ ચુદ્ધ જાહેર કરશે તા, ઘણે ભાગે, એવું પરિણામ આવવાના સાઁભવ છે કે, જૈનો તા (શત્રુંજય) પર્યંતમાંનાં પેાતાનાં સ્થાપિત હિતેાને નહી છેડે, પણ પાલીતાણાના દરબારને પાલીતાણાના ત્યાગ કરીને પાતાની જૂની રાજધાની (ગારિયાધાર)ના આશ્રય લેવા પડશે.’૪૪ પાલિટીકલ એજન્ટ દરખારશ્રીને આપેલી આ ચેતવણીનું લખાણ આ ઈતિહાસના પહેલા ભાગમાં (પૃ. ૩૦૩)માં પણ છપાયેલું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy