SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ વામાં આવે એની સામે કઈ વાંધો નથી, પણ એ અંગેની કાર્યવાહી તે અરજી પાલીતાણું દરબાર મારત આવ્યા પછી જ હાથ ધરવામાં આવશે. એજન્ટ ટુ ધી ગવર્નરને આ ફેંસલો સામે પેઢીએ તા. ૯-૫-૧૯૭૩ ના રોજ હિંદુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ ધી અર્લ ઓફ વિલિડંનને અપીલ કરી અને એમાં પાલીતાણા રાજ્યની કેર્ટમાંથી મળેલ ફેંસલા સામે એજન્સીને અપીલ પાલીતાણું રાજય મારફત કરવાને જે આદેશ એજન્સી તરફથી આપવામાં આવ્યું છે તેના બદલે એજન્સીને સીધેસીધી અપીલ કરી શકાય, તેમ જ એજન્સી જે ફેંસલો આપે તે પેઢીને પાલીતાણા રાજ્ય મારફત નહીં, પણ સીધેસીધો મળે એ આદેશ આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ અપીલને ફેસલો પણ ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા તરફથી તા. ૨૨-૧૨-૧૯૩૩ ના રોજ નં. - ૬૮૫-P–૩૩ ના ઓર્ડરથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિરુદ્ધમાં આવ્યો હતો. અને એણે કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના ફેંસલામાં ફેરફાર કરવાની કંઈ જરૂર નથી એમ જણાવીને પેઢીની અપીલ કાઢી નાંખી હતી. આની સામે પેઢીએ સને ૧૯૩૪ માં ક્યારેક ફરીથી ગવર્નર જનરલ ધી અલ ઓફ વિલિડંનને અરજી કરીને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના ઉપર મુજબના આદેશની ફરી વિચારણા કરવાની માંગણી કરી હતી. આ અરજીમાં ખાસ બેંધપાત્ર વાત તે એ હતી કે એમાં એજન્સીને, મુંબઈ સરકારને તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટને-વચ્ચે પાલીતાણા રાજ્યને રાખ્યા વગર–સીધેસીધી અરજી કર્યાના સંખ્યાબંધ દાખલાઓ ટાંકીને પિતાની માંગણીનું ભારપૂર્વક સમર્થન કરવામાં આવ્યું હતું. આ અપીલનું પરિણામ શું આવ્યું તે જાણી શકાય એવી સામગ્રી મળી નથી.૪૩ સને ૧૯૨૨-૨૩ માં પેઢીને મુબઈ સરકાર તરફથી જે આદેશ મળે એની સામે એક સેક્રેટરી ઓફ સ્ટેટ-લંડન અને સને ૧૯૩૩-૩૪ માં ભારતના ગવર્નર જનરલ તરફથી જે આદેશ મળ્યો તેની સામે ફરી એમને જ અરજી કરવાની પેઢીની કાર્યવાહી ઉપરથી જોઈ શકાય છે કે તે પિતાના, એટલે કે જૈન સંઘના હક્કોની સાચવણી કરવા માટે કેટલી સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી. સમાધાનનો કરાર જ વિવાદનું નિમિત્ત બન્યો પાલીતાણા રાજ્ય સાથે રખેપાને છેલ્લે કરાર સને ૧૯૨૮ માં થયે તેના આધારે એવી આશા રાખવામાં આવતી હતી કે હવે પાલીતાણા રાજ્ય સાથે કઈ પણ મુદ્દા અંગે વિવાદમાં ઊતરવાનો પ્રસંગ નહીં આવે. પણ એ કરારની તેરમી કલમના બંને પક્ષે કરેલ જુદા જુદા અર્થઘટનને લીધે રાજ્યના ફેંસલા વિરુદ્ધ એજન્સીમાં અપીલ કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy