SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા વર્ષે તા. ૭-૭-૧૯૦૮ ના રોજ આપવામાં આવ્યો હતે. આ ફેંસલે આ તે જ તારીખે મિ. હીલે એ ફેંસલાની નકલ ગેહિલવાના પિલિટીકલ એજન્ટને મોકલવાની સાથે સાથે એક પત્ર લખ્યું હતું તેમાં એમણે અરજદારોને (એટલે પેઢીને) એમ સૂચવવાનું જણાવ્યું હતું કે જે તેઓ આટલા લાંબા વખતથી ચાલતા વિવાદને અંત લાવવા માગતા હોય અને જે પાલીતાણા દરબાર આ વાતને માન્ય રાખવા તૈયાર હોય તે સરકારને આ બધી બાબતેનો નિકાલ કરવા માટે એક અધિકૃત કમિશન નીમવાનું સુચન કરવાની મારી તૈયારી છે. અને આ કમિશન છેવટને જે નિર્ણય કરે અને જેને સરકાર માન્ય રાખે તે બંને પક્ષકારોને બંધનકારક રહે મિ. હવે આ ફેંસલે આપ્યા પછી તથા ગોહિલવાડના પલિટીકલ એજંટને લખેલ પત્રમાં એમણે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે પ્રવર્તતા વિવાદનો અંત લાવવા માટે સરકારને એક અધિકૃત કમિશન નીમવાની ભલામણ કરવાની જે વાત લખેલી તે ઉપર આપેલ લખાણ ઉપરથી જાણી શકાય છે. આ પછી કેટલાક સમય બાદ મિ. હીલે તા. ૩ ઓગસ્ટ અથવા તે સ્વ. ૩ સપ્ટેમ્બર ૧૯૦૮ ના રોજ શેઠ શ્રી મનસુખભાઈ ઉપર એક પત્ર લખ્યો હતો. એમાં એમણે સૂચવ્યું હતું કે તમે ચાલુ માસની ર૯મી તારીખે (ખરી રીતે આ ૨૯ મી જુલાઈ અથવા ગરટ હોવી જોઈએ) શ્રાવકના બીજા પ્રતિનિધિઓ સહિત મારી સાથે આરૂ મુલાકાત કરી હતી તે બાબતમાં જણાવવાનું કે, મેં આપેલ ફેંસલો જે વિવાદનો અંત લાવવામાં નિષ્ફળ જાય અને એ ફેંસલામાં જણાવ્યા મુજબ શ્રાવકે પાલીતાણા રાજ્યની કોર્ટમાં જવાને બદલે સરકારમાં અપીલ કરવાને વિચાર કરે તે આવી અપીલ કરવા માટે કેઈ સમયમર્યાદા લાગુ પડવી ન જોઈએ. અને એ રીતે મારી વિનંતી તથા સલાહને માન્ય રાખીને અપીલ કરવાનું મોકુફ રાખવામાં શ્રાવકે મારી સાથે સંમત થયા છે. પાલીતાણ રાજ્ય અને પેઢી વચ્ચે આ વિવાદ ચાલુ જ હતું અને એના નિકાલ માટે યોગ્ય સ્થળોએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રજૂઆત થતી જ રહેતી હતી છતાં, એનું સમાધાનકારક કે સંતોષકારક પરિણામ આવતું ન હતું. તે દરમ્યાનમાં તા. ૨૮-૮-૧૯૦૫ ના રોજ પાલીતાણાના દરબાર સર માનસિંહજીનું અવસાન થયું અને એમના પાટવીકુંવર શ્રી બહાદુરસિંહજી સગીર વયના હતા એટલે પલીતાણ રાજ્યને વહીવટ કરવા માટે મિ. ડર એવન એડમિનિસ્ટ્રેટર નિમાયા હતા અને આ વ્યવસ્થા છે સને ૧૯૨૦ સુધી ચાલુ રહી હતી કે જ્યારે બહાદુરસિંહને ગાદીનશિન કરવામાં આવ્યા હતા. એટલે તા. ૨૮-૮-૧૯૦૫ પછી આ પ્રકરણમાં જે કંઈ કાર્યવાહી પાલીનાણા રાજ્ય તરફથી હાથ ધરવામાં આવી હતી તે ડર ઓવનના રાજ્ય સંચાલનમાં કરવામાં આવી હતી એ દેખીતું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy