SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાનો ભેરુ ૧૩૫ ઓને આ રીતે શા માટે હિરાસતમાં લેવામાં આવ્યા હશે? શું આપણું રાજ્યમાં આટલા બધા ચેર-ડાકુઓ વધી પડયા છે? આમને વાંકગુને શું છે?' કુમાર, આ કંઈ ચોર-લૂંટારા નથી, આ તે બધા ખેડૂતે છે. આ વરસે વરસાદ ન પડ્યો અને ખેતરમાં કંઈન પાક્યું. ખેડૂત તે ધાન્ય પાકે તે રાજા, નહિ તે રંકનેય રંક. આ વરસે તેઓ રાજ્યને કર ભરી શક્યા નથી; એટલે એમની પાસેથી રાજ્યને કર જબરદસ્તીથી વસૂલ કરવાનો હુકમ થયેલ છે. આ લોકોને રાજદરબારે લઈ જશે, અને કર ન ભરવા માટે સજા કરશે.” અંગરક્ષકે ખુલાસો કર્યો. આને કેઈ ઉપાય ?” કુમાર મૂલરાજનું અંતર કરુણાભીનું બની ગયું. એને થયું, હું આ ભાંગ્યા માનવીએનો ભેરુ બની શકું તે કેવું સારું ! “આમાં બીજું તે શું થઈ શકે ? આ તે મહારાજાના હાથની વાત છે; એ ધારે તે કરી શકે. બાકી રાજઆજ્ઞાની આડે આવવાની હિંમત બીજે કણ કરે?” રાજકુમારે વધુ કંઈ ન પૂછ્યું; અને, જાણે મનમાં ગાંઠ વાળી હોય એમ, એ તરત જ મહેલે પાછો ફર્યો. મૂલરાજ હજી તે ઊગતે જુવાન હતે. મૂછને દોરે પણ હજી ફૂટયો ન હતો, પણ એના મુખ ઉપર કઈ દેવાંશી તેજ રમતું હતું. પોતાનાં વિનય અને વાણીથી એ કોઈને પણ પ્રિય થઈ પડતે—જાણે કેઈ જેગભૂલ્ય જેગી યુવરાજના આ અવતારે આવ્યું હતું. પાછા ફરીને એ સીધો પહે મહારાજા ભીમદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy