SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઘેરાગ અને વિરાગ હવે તો વારો આવ્યો સગા ભાઈઓનો. સગા ભાઈઓ પણ સ્વતંત્ર રાજા તરીકે જીવે એ ચક્રવર્તીને કેમ પાલવે ? જેને રાજસત્તાના અહંકારનો કેફ ચડ્યો એને માટે તો શું સગા ભાઈ કે શું બીજા – બધાં ય સરખાં ! પોતાંની સત્તાને સ્વીકારે એ ભાઈ, અને પોતાની સત્તાને પડકારે એ શત્રુ. સત્તાઘેલા ભરતની આંખ ભાઈઓ તરફ રાતી થઈ. પહેલાં એણે નાના પોતાના ભાઈઓને તાબે થવાનું કહેણ મોકલ્યું. પણ એ ભાઈઓ પણ ભારે ખુમારીવાળા નીકળ્યા. એમણે મોટા ભાઈના અહંકારને અજબ રીતે પડકાર્યો. પોતાનું સ્વત્વ ગુમાવીને, ભલે મોટો ભાઈ હોય તો ય, ભરતના આશ્રિત બનીને રહેવાનું એમણે મંજૂર ન રાખ્યું. એમણે તો પોતાનો માર્ગ નક્કી કરી લીધો અને રાજપાટનો ત્યાગ કરીને એ પ્રભુના ચરણોમાં જઈ બેઠા. બ્રાહ્મી તો ક્યારની પ્રભુના માર્ગે ચાલી નીકળી હતી; પણ સુંદરીઘેલા ભરતે સુંદરીને રોકી રાખી હતી. એ તો સુંદરીના ત્યાગની કલ્પના પણ નહોતો કરી શકતો. એ તો જાણે સુંદરી પોતાના ઉપર સ્નેહનો અભિષેક કરે, એ ધન્ય પળની જ રાહ જોઇ રહ્યો હતો. પણ સુંદરી સૌંદર્યવતી છતાં એનું મન બ્રાહ્મીના પગલે પગલે પિતાજીના ધર્મ-માર્ગે ચાલી નીકળવાનું હતું એને મન રાજરાણીપદ કે વૈભવવિલાસનું કોઈ મૂલ ન હતું; એને તો આત્માના અમરપદની ઝંખના જાગી હતી. પણ આ ઘેલા ભરતને કોણ સમજાવે ? આ કામમાં કોણ સહાય કરે ? પણ સુંદરી તો ભારે શાણી અને શાસ્ત્રપંડિતા નીકળી. એણે પારકી આશાનું નિરર્થકપણું તરત જ પારખી લીધું. મારે જે જોઈએ છે, એ મારે જ મેળવવું ઘટે. બીજા એ મેળવી આપે એ કેમ બને ? અને એણે રાજમહેલમાં ભરતની વિજોગણ તરીકે રહેવાને બદલે આત્માની જોગણ બનવાનો નિર્ધાર કરી લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy