SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ ઘનપાલ [ ૧૭૩ ગાજતું વાતાવરણ પણ ગંભીરતાથી ભાર-બજવાળું બની ગયું. કવિની સરસ્વતી આજે કોઈ બંધન સ્વીકારવા તૈયાર ન હતી. કવિની વાણી કરૂણારૂપે વહેવા લાગી : “રાજનું, બિચારો નિર્દોષ શૂકર ! એણે આપનું શું બગાડ્યું હતું ? શું આપનું શૌર્ય અને પરાક્રમ આટલા માટે જ છે ? આવા ગોઝારા પરાક્રમની પ્રશંસા શી રીતે થઈ શકે ? જે પરાક્રમ નિર્દોષનો સંહાર નહીં પણ એનું રક્ષણ કરે એ જ સાચું પરાક્રમ ! મહારાજ, આપના શૌર્યને, આપની સરસ્વતી-પ્રીતિને અને આપની ધર્મશક્તિને આવી ક્રૂરતા ન શોભે ! કવિતા તો કરુણાની રચવાની હોય, કૂરતટની નહિ ? આજે આપ કરુણાનો કલ્યાણ માર્ગ ચૂકી ગયા છો ! વળી રાજનીતિ પણ નિર્દોષના રક્ષણથી જ શોભે છે. રાજનું, રક્ષક જ જો ભક્ષક બને તો પછી જગતને ઊગરવાનો આરો જ ક્યાં રહે ? જો અંતરમાંથી હિંસા-અહિંસાનો વિવેક વિસરાઈ જાય અને શિકારના આનંદને નામે પણ જો અંતરમાં નિષ્કર્ણાને સ્થાન મળી જાય, તો એનાં કડવાં ફળ ક્યારેક સમસ્ત પ્રજાને પણ ભોગવવાનો અવસર આવે ! ક્રૂરતા તરફ વળેલું અંતર કરુણાનો માર્ગ તજે તો એને કોણ રોકી શકે ? માટે રાજનું, આપના, આપની પ્રજાના અને સૌ કોઈના ભલા ખાતર આપના અંતરને કરુણાની સૌરભથી એવું સુવાસિત કરો કે એમાંથી ક્રૂરતાની દુર્ગધમાત્ર દૂર થઈ જાય ! આ જ સાચો ધર્મ છે, અને આ જ સાચી માણસાઈ છે.” કવિ બોલતા બંધ થયા, પણ એમની વેદનાભરી વાણીના પડઘા સૌનાં અંતરમાં ગાજી રહ્યા. રાજા ભોજનો શિકારનો આનંદ તે દિવસે ખારો થઈ ગયો. કવિ ધનપાલ ક્યારેક ક્યારેક આ રીતે ભારે કડવી વાત કહી દેતા, પણ રાજા ભોજ જાણતા હતા કે એ કડવાશ અંતરની કડવાશ ન હતી; એ તો ઓસડના જેવી ઉપકાર કડવાશ હતી. અને એમનો મૈત્રીનો તાર અખંડ રહેતો. એક દિવસ કવિ અને રાજા કથાવિનોદ કરી રહ્યા હતા. વાતોમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy