SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ Bરાગ અને વિરાગ એમણે આવીને શોભનને પૂછયું : “શોભનદેવ, તમે વાત કરતા હતા ? ” પણ પછી તો શોભનને જવાબ દેવાની જરૂર ન પડી. વચ્ચેથી અનુપમાદેવીએ જ વાત ઉપાડી લઈને કહ્યું : “ સ્વામી ! દિવસ અને રાતનું કામ કરનાર જુદા જુદા શિલ્પીઓ રાખો; બધાને પૌષ્ટિક અને રુચિકર ભોજન મળી રહે એ માટે ભોજનાલય ચાલુ કરો, બધા શિલ્પીઓના શરીર સ્વસ્થ અને સ્કૂર્તિવાળાં રહે એ માટે એમને મર્દન અને સ્નાન કરાવનાર માણસો રોકો, અને બધાને પૂરતું વેતન આપો. આ તો દેવમંદિરનું કામ ! કોઈનું મન દુભાય એવું કંઈ પણ ન થવું ઘટે ! જેમાં સૌ રાજી એમાં જ દેવ રાજી ! ” મંત્રી તેજપાળ તો અનુપમાદેવીની આ ઉદારતા, ધર્મપરાયણતા અને દીર્ઘદૃષ્ટિને અભિનંદી રહ્યા. આવી ઘરનાર મેળવવામાં એ ધન્યતા અનુભવી રહ્યા. તરત જ અનુપમાદેવીની સૂચનાઓનો અમલ કરવામાં આવ્યો અને થોડાક વખતમાં જ આબુગિરિરાજ ઉપર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂસિગવસહી નામે મનોહર, કળામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર થઈ ગયો. મહામંત્રી વસ્તુપાળના મનોરથ સફળ થયા. વખત પાકે અને પાંદડું ખરી પડે. . પોતાનો સમય થઈ ગયો અને અનુપમ અનુપમાદેવી સૌને વિલાપ કરતાં મૂકીને, અનુપમ માર્ગે ચાલ્યાં ગયાં ! રાજદરબાર જેવું ભર્યુંભાદર્યું ઘર એમના વગર સૂનું સૂનું બની ગયું. જાણે કુટુંબનો આત્મા જ ઊડી ગયો હતો ! મહામંત્રી વસ્તુપાળને તો પોતાની એક બાંય કપાઈ ગયા જેવી વેદના થઈ. અને મંત્રી તેજપાળના શોક અને સંતાપને તો કોઈ સીમા જ ન રહી. એને તો અનુપમા વગરનું જીવન જ અકારું થઈ પડ્યું. એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy