SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત મનના સંસ્કાર એ મોટી વાત છે. સશક્ત અને તંદુરસ્ત શરીર એ ય એવી જ મોટી વાત છે. યૌવનના નવવસંત સમયે તન અને મન બે ય ખીલ્યાં અને ઘડાયાં તો ઘડાયાં, નહીં તો જિંદગીભર વિકારી મન અને નિર્બળ શરીરનો ભાર વેંઢાર્યા કરવાનો ! પછી તો પોતે ય પિલાયા કરવાનું અને બીજાને ય પીલ્યા કરવાના ! ૧૩ પણ જીવન-ઘડતરનો જે વખત, એ જ મન અને તનના બેકાબૂ બનવાનો વખત. અંતર કંઈ કંઈ વાસનાઓ તરફ દોડે. દેહ કંઈ કંઈ ભોગ-વિલાસો પાછળ ઘેલો બને. પોતે પોતાની જાતને સાચવવા ખબરદાર રહે તો બીજાઓ મોહની માયાજાળમાં ખેંચી જાય આવાં કામણગારાં હોય છે યૌવન વયનાં મધુ ! આવા કસોટીના વખતે જે મન અને તનનાં જતન કરી જાણે, એ જગતને જીતી જાય. ગૂર્જરભૂમિનો રાજા ભીમદેવ સોલંકી જેવો શૂરો એવો જ શાણો પુરુષ હતો, સંસ્કારી પણ એવો જ. ધર્મ અને કર્મ બંનેમાં પૂરો નિપુણ એની રાણી ઉદયમતી એ પણ પતિના કંચન જેવા જીવનની શોભા વધારે એવું નારીરત્ન. ભારે તેજસ્વી, કાબેલ અને જાજરમાન નારી. રાજબીજનું શીળું શૌર્ય એના રોમરોમમાં ધબકે. - એમનો પુત્ર તે યુવરાજ કર્ણ; ગૂર્જરપતિના સિંહાસનનો વા૨સ. એ પણ સિંહબાળ જેવો પરાક્રમી અને માતા-પિતાનું નામ શોભાવે એવો તેજસ્વી હતો. રાજા-રાણીને એના ઉપર અપાર હેત; પણ એ હેતની વર્ષા કુમારમાં કુસંસ્કારને ન ઉગાડે એની તેઓ પૂરી સાવચેતી રાખે; અને એ સંસ્કારી, સાહસી અને શૂરવીર બને એ માટે પ્રયત્નો કરતાં રહે છેવટે તો ગૂર્જરપતિનો રાજમુગુટ એને શિરે જ બિરાજવાનો હતો, અને ગૂર્જરપતિના સિંહાસનને એ જ શોભાવવાનો હતો ને ? સારો રાજા આખા દેશનું કલ્યાણ કરે. રાજા જો ખરાબ નીવડ્યો તો દેશનું નિકંદન કાઢે ! કર્ણનો ઉછેર એ ભીમદેવ અને ઉદયમતીને માટે જેમ ચિંતાનો Jain Education International For Private & Personal Use Only -GA www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy