SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું સંભારણું D ૯૩ નાથ ! આપ ગમે તે સમયમાં, ગમે તે સ્થિતિમાં થયા હો અને ગમે તે નામથી ઓળખતા હો, પણ જો આપ દોષ-મુક્ત હો તો, મારાં આપને વંદન છે ! " રહી. 64 બિચારા ટીકા કરનારા ચૂપ થઈ ગયા ! ભાવિક ભક્તો હર્ષ-ઉલ્લાસ અનુભવી રહ્યા. ભાવ-ભક્તિની ભાગીરથી જાણે ત્યાં વહીને સૌને પાવન કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી થયાનો આનંદ મહારાજા કુમારપાળના અંતરમાં આજે સમાતો ન હતો. એ આજે અપૂર્વ ધન્યતા અનુભવી રહ્યા હતા. હેમચંદ્રાચાર્યની પાસે જઈને એમણે કહ્યું : “ ગુરુદેવ ! આપની વાણી સફળ થઈ; મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ! મને હવે મારી પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત થવાની અનુમતિ આપવા કૃપા કરો !” ગુરુએ જોયું કે અત્યારે ગૂર્જરપતિનું અંતર ધર્મભાવનાથી ગદ્ગદ બની ગયું છે એને સદાને માટે વ્યસનમુક્તિના માર્ગે વાળવાની આ જ શુભ વેળા છે. રહ્યા. "6 હેમચંદ્રસૂરિએ ગૂર્જરપતિને એટલું જ કહ્યું : રાજન્, માંસ અને મદિરાના દોષોનો ત્યાગ કરીને તમે જે સિદ્ધિ મેળવી તે તમારી સામે છે. તમારું રોમરોમ કેવો આહ્લાદ અનુભવી રહ્યું છે ! શું આવી ઉત્તમ પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને તમારે ફરી પાછા એ દોષોમાં પડીને અધોગતિના માર્ગે જવું છે ? સર્યું આવાં પાપોથી ! જે પાપ એક વાર છોડ્યું તે સદાને માટે છોડીને આ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરનું ગૌરવ કરવું ઘટે; એ જ એનું સાચું સંભારણું બની રહેશે.” ગૂર્જરપતિ મહારાજા કુમારપાળ આચાર્યશ્રીને કૃતજ્ઞભાવે પ્રણમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy