SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८० અભિષેક રાજમંદિર અને અંતઃપુર સળગી રહ્યાં છે એમ તમે કહો છો ? અરે ! પણ એ મિથિલા નથી બળતી, એ રાજમંદિર નથી બળતું, એ અંતઃપુર પણ નથી ભસ્મ થતું; એ તો મારી મમતા અને મારો અહંકાર, મારી આસક્તિ અને મારો ગર્વ, મારો વિલાસ અને મારી વાસના ભડભડ બળી રહ્યાં છે! મમતા અને અહંકાર, આસક્તિ અને ગર્વ, વિલાસ અને વાસના ભસ્મ થયા વગર મારી એકલતા અને મારી શાંતિ સિદ્ધ નથી થવાની. આજે એ વગર માગ્યે, સહજપણે સિદ્ધ થઈ રહી હોય તો એનો શોચ શો કરવો ? અને સૌને જઈને કહેજો કે મિથિલામાં મારું કંઈ છે જ નહીં. એના મમત્વથી મુક્ત થયેલો હું અહીં સુખેથી રહું છું અને સુખપૂર્વક જીવું છું. “ હું એકલો છું, મારું કોઈ નથી; હું કોઈનો નથી. મારા દેહ પર પણ મને આસક્તિ નથી, તો મિથિલા પર તો ક્યાંથી હોય ? મિથિલા બળે એમાં મારું કંઈ બળતું નથી ?” કહેવા આવનાર ચૂપ થઈ ચાલ્યા ગયા. મિરાજની એકલતા આગળ ને આગળ વધવા લાગી. નિમરાજના સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડનાર સુવર્ણકંકણ એ દિવસે અમર બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy