SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શીતળ હવામાં ફરવાનું અને લીલું લીલું કૂણું કૂણું મીઠુંમધ ઘાસ ચરવાનું મળે તો કેવું સારું ! ગોવાળ બળદનું મન તો પારખી ગયો, પણ એને ગાયો દોવા માટે ગામમાં પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે એનાથી રોકાઈ શકાય એમ ન હતું. પદ્મપરાગ ૨૩ : પણ એને પોતાનું કામ પણ ન બગડે અને બળદો પણ રાજી રહે એવો ઉપાય શોધી કાઢ્યો. એણે ધ્યાનમાં ઊભેલા મહાવીરને કહ્યું “મુનિ ! હું અબઘડી પાછો આવું છું. ત્યાં લગી મારા આ બળદો જોતા રહેજો એ ક્યાંક આઘા જતા ન રહે. ” ** ગોવાળને ઉતાવળ એટલી બધી હતી કે મહાવીરે પોતાની વાત સાંભળી કે ન સાંભળી અથવા તો એણે ચીંધેલું કામ સ્વીકાર્યું કે નહીં એ જાણવા પણ એ ન થોભ્યો અને ઝડપથી ઊપડી ગયો ગામ તરફ. મહાવીર તો પૂર્ણ ધ્યાનસ્થ બનીને પોતાના મનરૂપી બળદને નાથવામાં એવા એકતાન થઈ ગયા હતા કે એમને પેલા ગોવાળના બળદોનો કશો ખ્યાલ જ ન હતો; અને બળદો તો ચરતા ચરતા દૂર દૂર નીકળી ગયા. પેલી તરફ ગામમાં ગયેલા ગોવાળને પોતાના બળદોની બહુ ચિંતા હતી એના પેટનો અને આખા કુટુંબનો આધાર એના ઉપર જ હતો જે ! એ તો પોતાનું કામ પતાવી ઝટઝટ સીમમાં પાછો આવ્યો; પણ જુએ છે તો ત્યાં બળદ ન મળે ! અને મહાવીર તો હજી ય ધ્યાનમાં સ્થિર ખડા હતા. ગોવાળે બળદ માટે મહાવીરને પૂછ્યું, પણ એ તો હતા મૌની અને ધ્યાની, એમણે કશો જ જવાબ ન આપ્યો. ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો. બિચારો આખી રાત ભટક્યો, પણ બળદનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તો બળદ મહાવીરની પાસે વાગોળતા વાગોળતા શાંતિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy