SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૭ વાત ચાલતી ચાલતી સાધ્વી ભદ્રાને કાને પહોંચી ગઈ. એ તો માતા! સાંભળીને એને થયું : “મારો અરણિક ખોવાઈ ગયો? અલોપ થઈ ગયો? પણ એવું બને ખરું ? માનવી જેવો માનવી, આમ ક્યાં ખોવાઈ જાય ?' ધીમે ધીમે એનું માતૃહૃદય જાગ્રત થવા લાગ્યું. સાધ્વીનો વેષ, સાધ્વીજીવનની અખંડ સાધના, આટલા લાંબા સમયનો વૈરાગ્ય અને તપ-ત્યાગ-સંયમની આવી ઉત્કટ આરાધના પણ એના હૃદયના માતૃભાવને ન દબાવી શક્યાં ! અરણિક ! પોતાનો એકનો એક પુત્ર! પોતાના પતિ મુનિ દત્તના સ્વર્ગગમન પછી પોતાને સોંપાયેલી અમૂલખ થાપણ તે મુનિ બનેલો અરણિક ! શું એ વગર મોતે મરી ગયો ?' એનું માતૃવાત્સલ્ય આજે કોઈ પ્રતિબંધને ગણકારવા તૈયાર ન હતું. એ તો પહોંચી ઉપાશ્રયે અને શ્રમણોને વિધવિધ પ્રશ્નો પૂછીને એણે એમને મૂંઝવી માય ! મુનિઓએ કંઈ કંઈ ખુલાસા આપ્યા, પણ એના હૈયાને સંતોષ ન થયો. એ પોતાના સાધ્વીજીવનને જાણે વીસરી ગઈ. એ શ્રમણોપાસકોને ઘેર ઘેર ફરવા લાગી અને પૂછવા લાગી, “મારો અરણિક તમારે ત્યાં ભિક્ષા લેવા આવ્યો હતો ?” પણ એને કયાંય સંતોષકારક ઉત્તર ન મળ્યો. એનું માતૃહૃદય વધારે ઉત્તેજિત થઈ ગયું. હવે તો એ બહાવરી બની ગઈ, અને રસ્તે ચાલતા જે તે માનવીને પૂછવા લાગી : “ભાઈ ! તમે કયાંય મારા અરણિકને જોયો ? મારા પુત્ર અરણિકને તમે ઓળખો છો ?” જવાબમાં એ “ના” સાંભળતી અને એનાં નેત્રો અશ્રુથી ઊભરાઈ જતાં. - એક તો પોતાનો પુત્ર અને એમાં ય ધર્મમાર્ગને વરેલો ! ભલા, એની અધોગતિ થવા દેવાય ખરી? એને થયું મેં કાચી ઉંમરે એને ત્યાગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy