SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય સવાલ “તમે આ શું બેલે છે ?” જવાબ : “હું ઠીક બોલું છું. મારા માટે માતા, પિતા, ગુરુદેવ જે કંઈ કહે તે એક જ શ્રી આત્મારામજી મહારાજ છે.” વમેવ માતા પિતા ત્વમેવ......મેવ સર્વ મમ દેવ! –ને સમપણભાવને ઉમદા આદર્શ પિતાના દાદાગુરુ પ્રત્યે જીવી જાણનાર મુનિ વલ્લભવિજયજીનું જીવન અને કાર્ય યશનામી અને સફળ થાય એમાં શી નવાઈ ? સાધના સાધુનું પહેલું કામ પિતાની જાતને સુધારવાનું. પિતાની જાતને સુધાર્યા વગર બીજાને સુધારવાની અને જગતનું ભલું કરવાની વાત એ કેવળ ઝાંઝવાનાં નીર જેવી નિરર્થક સમજવી. પિતાની જાતને સુધારવી એટલે પિતાના અંતરમાં રહેલા દેને દૂર કરવા. રાગ-દ્વેષ, કષાયે, કામનાઓ અને વાસનાઓને લીધે જીવ ન કરવાનાં કામ કરે અને પિતાની જાત ઉપર કર્મને મળ ચડાવ્યા જ કરે. એનું નામ સંસાર. પિતાની જાતને સુધારવા–નિર્મળ કરવા–સાધુ તપ કરે, જપ કરે, ધ્યાન કરે, ઇંદ્રિયોને સંયમમાં રાખે, વ્રત-નિયમ પાળ, કષ્ટને અદીનભાવે સહન કરે અને જ્ઞાન અને ચારિત્રની સાધનાથી પિતાના ચિત્તને ઉજજવળ બનાવીને આત્મશક્તિને પ્રગટ કરે. એ જ મોક્ષને માર્ગ. મુનિ વલ્લભવિજયજી મેક્ષમાર્ગના યાત્રિક હતા. એમને પૂર્વને. સંસ્કાર જ કંઈક ત્યાગ-વૈરાગ્યને હતો. ધર્મપરાયણ માતાએ એને સતેજ કર્યો. અને ધર્મશર દાદાગુરુના સત્સંગે એ સંસ્કારને દઢ બનાવ્યું. મુનિ વલભવિજયજી સમતા-સમભાવની સાધના કરી આ યુગના શ્રમણશ્રેષ્ઠ બની ગયા. ભગવાન મહાવીરને સાધુવેશ સંસાર વધારવા નહીં પણ ઘટાડવા માટે ધારણ કર્યો છે, એ ભવભીરુતાની ભાવના એમના રામ રેમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy