SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય ૩૧ છૂટા થઈને પટ્ટીમાં રોકાઈ જવું કે અધ્યયનને આવો વિરલ સુયોગ મૂકીને દાદાગુરુની સાથે રહેવું, એની વિમાસણ ઊભી થઈ. નિર્ણય તત્કાળ લેવાનું હતું અને આવો અવસર ફરી ફરી મળવાને ન હતઃ “અવસર ચૂક્યા મેહુલા” જેવી સ્થિતિ હતી ! પણ પૂજ્ય આત્મારામજી મહારાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને લાભાલાભને વિવેક કરી શકે એવા વિચક્ષણ અને દીર્ધદશી પુષ હતા; મુનિ વલ્લભવિજયજી ત્યાગમાર્ગ અને સંયમધર્મના ઉપાસક હતા; અને દાદાગુરુ અને પ્રશિષ્ય બનને મોહ-મમતાનાં બંધન જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપરૂપ ન થાય એ માટે જાગ્રત હતા. ભાવી લાભ વિચાર કરીને બનેએ છૂટા પડવાનું નકકી કર્યું. આચાર્ય પ્રવરે કસૂર ગામ તરફ વિહાર કર્યો; મુનિ શ્રી વલ્લભવિજયજી મુનિ શ્રી ચારિત્રવિજયજીની સાથે પટ્ટીમાં રોકાઈ ગયા અને એકાગ્રપણે અધ્યયનમાં પરોવાઈ ગયા. તેઓ વચમાં થોડો વખત અમૃતસરના જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરે માટે બીજાં સ્થાનમાં વિહાર કરી આવ્યા; અને વિ. સં. ૧૯૪૭નું માસું દાદાગુરુ સાથે પટ્ટીમાં જ કર્યું. પછી પણ એમની ભાવના વિશેષ અભ્યાસ માટે પટ્ટીમાં રહેવાની હતી, એટલે જિરાના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને તેઓ ફરી પાછા પટ્ટી ગયા, પણ ત્યારે પંડિત ઉત્તમચંદજી લાંબા વખત માટે બહારગામ ગયા હોવાથી એ ભાવના સફળ ન થઈ. પછી અમૃતસર આવીને તેઓ પંડિત કર્મચંદ્રજી પાસે ભણવા લાગ્યા. પણ એ યોગ વધુ વખત ચાલુ ન રહ્યો. એ પંડિતજી પણ વિદ્યાના બહુ રસિયા હતા, એટલે ભણાવવાનું કામ છેડીને તેઓ પિતાને અભ્યાસને આગળ વધારવા બનારસ પહોંચી ગયા ! બીજા એક પંડિતજી પાસે અભ્યાસ શરૂ કર્યો તે એમને લાભ પણ વધુ વખત ન મળી શક્યો. આમ મુનિ વલ્લભવિજયજી એક પછી એક પંડિતને જે કંઈ લાભ મળી શક્યો એ લેતા ગયા; પણ એમની જ્ઞાનપિપાસાની તૃપ્તિ ન થઈ. વિદ્યા-ઉપાર્જનની ભાવનાનું પણ અર્થોપાર્જનના લોભ જેવું જ છેઃ ચિત્તમાં એક વાર લેભદશા જાગી, પછી તે જેમ જેમ પૈસાને લાભ વધારે મળતો જાય તેમ તેમ તેમ પણ આગળ વધતો જાય; અને પૈસો પ્રાપ્ત કરવાના નવા નવા માર્ગો તરફ લોભી માનવી દોડતા જ રહે. અને છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy