SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ મનથી જેઓ આધુનિક વિજ્ઞાનના ગુલામ છે, તેઓ ગમે તેવી ઉંચી છાતીએ ચાલતા હોય, પણ તેઓ પરદેશી પ્રજાઓના વિશેષ ગુલામે છે. અને જેઓ આર્ય સંસ્કૃતિ પ્રમાણે જે પ્રમાણમાં સાગપાંગ જીવન જીવે છે, અને પોતાના કેઈ સ્વાર્થ માટે પરદેશીઓની ખુશામત કરતા હોય, તેમને રાજી રાખવા પ્રયત્નો કરતા હોય, છતાં પણ તેઓ તે એટલા ગુલામ નથી, એ તો સહજ રીતે સમજાય તેમ છે. સુધારો નવું ઉત્પન્ન કરી શકે તેમ નથી. નવું ઉત્પન્ન કરી શક્યા નથી. તેઓ “રૂઢિ ચૂસ્તો” “જુનવાણી” “પ્રણાલીને વળગી રહેલા.” વિગેરે રીતે દેશીઓને નિંદીને પરદેશી વસ્તુઓની જાહેરાત માટેની વકીલાત કરે છે. માટે એ વર્ગને લેશ માત્ર વિશ્વાસ કરવો જરૂર નથી. તેઓને નથી અહીંની સંસ્કૃતિનું જ્ઞાન નથી તેઓને પરદેશીઓની પ્રગતિની જાળની વિશાળતાની માહિતી. તેઓ પ્રજાના કેટલાક ભાગનો વિશ્વાસ મેળવીને જે જે સંસ્થાઓ ચલાવે છે, તે દરેક પણ આખર તે નુકશાનમાં જ પરિણત થવાની છે. શહામૃગનું દષ્ટાંત પણ ભ્રમ ફેલાવનારું છે. આપણે તેઓને કહીશું કે-એ દષ્ટાંત આપી તમે એમ કહેવા માંગે છે કે-“શિકારી જ્યારે સામે ઉભો છે, ને શાહમૃગ રેતીમાં માથું ઘાલે, એટલે શું તે બચી શકવાનું છે ?” બરાબર છે કે-બચી શકે નહિ, પણ તે પછી શહામૃગે શું કરવું? એમ અમે તમને પૂછીએ છીએ ? તમે કહેશે કે “બચવા માટે નાસી છુટવું કે બીજા મજબૂત સ્થાનને આશ્રય લે.” તેમ બની શકે તેમ ન હોય, તે શું કરવું? શું શિકારીની સામે ગોળી ખાવા જવું કે–બીજું જે બને તે કરવું ? એક શહામૃગ સામે ગેળી ખાવા જાય છે, અને બીજું રેતીમાં માથું ઘાલીને બચવાની ચેષ્ટા કરે છે. બેમાંથી વધારે ઠીક પ્રયત્ન કરે છે? જો કે બન્નેય મરી જવાના છે. પણ બેમાંથી અંશતઃ પણ વધારે બુદ્ધિ કેણું ચલાવે છે? તમારે કહેવું જ પડશે કે “સામે ચાલનાર કરતાં રેતીમાં માથું ઘાલનારને મારવામાં શિકારીને કાંઈક વધારે મહેનત પડશે. સમય વધારે જશે, કે-લક્ષ્ય ભેદવામાં તેને કંઈક વધારે સાવચેત રહેવું પડશે.” આ રીતે જોતાં તમારું દષ્ટાંત કેટલું વિષમ છે? તે તમે જ વિચારે. અમારા પ્રજાજને આધુનિક વિજ્ઞાનનો આશ્રય ન લેતાં અમારી આર્ય સંસ્કૃતિને આશ્રય લઈ રહ્યા હોય છે, તેને-“આખર તો અમે તમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy