SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંબાલાલ સારાભાઈ ૪૦૯ એનો દેખાવ કરવાથી એવી તો અળગી જ રહે છે, કે એમના અતિનિકટના પરિચયમાં આવનાર અમુક વ્યક્તિઓ સિવાય, બીજાને એમના આવા આંતરવૈભવનો ભાગ્યે જ ખ્યાલ આવી શકે છે. આવી વ્યક્તિ પોતે જે કંઈ સદ્દગુણોનું સેવન કરે છે તે કેવળ પાન્ત-સુત્રાય એટલે કે નિજાનંદ પૂરતું જ હોય છે, અને એ તરફ બીજાઓનું ધ્યાન દોરાય એવી કોઈ તરકીબ અજમાવતી નથી. શેઠશ્રી અંબાલાલ સારાભાઈને, એમની હૃદયસ્થિત ધાર્મિકતાની દૃષ્ટિએ આપણે આવી વ્યક્તિની કોટિમાં મૂકી શકીએ. પોતાની વહીવટ-શક્તિ, આપસૂઝ, કાબેલિયત, દીર્ઘદ્રષ્ટિ અને વિચક્ષણતાના બળે ભારતના જે થોડાક ઉદ્યોગપતિઓએ કેવળ ભારતમાં જ નહિ, પણ દુનિયાના જાણીતા દેશોમાં પણ નામના કાઢી છે, અને સાથે-સાથે ભારતની ઔદ્યોગિક શક્તિની પણ પ્રતિષ્ઠા વધારી છે, એવા ઉદ્યોગપતિઓમાં શેઠશ્રી અંબાલાલનું નામ મોખરે શોભી રહે એવું છે. એમનો મૂળ વ્યવસાય કાપડઉદ્યોગનો, છતાં એમણે આખા દેશમાં તેમ જ દેશ બહાર પણ અનેક ઉદ્યોગોનું સફળ સંચાલન કર્યું હતું. એમ ખુશીથી કહી શકાય કે કોઈ પણ ઉદ્યોગનું સંચાલન શ્રી અંબાલાલ શેઠ એક જીવનકાર્ય(મિશન)ની ધગશથી કરતા હતા; અને એ રીતે તેઓ કોઈ પણ કંપનીના શેરહોલ્ડરોનાં નાણાંના સાચા અને નિષ્ઠાવાન રખેવાળ તરીકેની પવિત્ર ફરજ હંમેશાં પૂર્ણ જાગૃતિપૂર્વક બજાવતા હતા. સાથે-સાથે એમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલો માલ ઊંચી કોટીનો અને ખરીદનારને પોતાના પૈસા વસૂલ થયા છે એવી છાપ ઊભી કરનારો બને એની પણ તેઓ ખૂબ ચીવટ રાખતા હતા. એમણે દેશ-વિદેશમાં ચલાવેલા અનેક ઉદ્યોગોની સફળતાની આ મુખ્ય ચાવી હતી. વળી એમનો વહીવટ પણ આદર્શ લખી શકાય એવો વ્યવસ્થિત અને ચોખ્ખો રહ્યો. એને લીધે ગમે તેવી આકરી કસોટીમાંથી પણ એમનો ઉદ્યોગ સફળતાપૂર્વક પાર ઊતરી શકતો. એમના હસ્તકની અમદાવાદની કૅલિકો મિલના વહીવટનો ઇતિહાસ આ હકીકતની સાક્ષી પૂરી શકે એમ છે. એક સફળ અને યશસ્વી ઉદ્યોગપતિ તરીકેની કામગીરી ઉપરાંત અંબાલાલ શેઠની વિરલ વિશેષતા એમની નિર્ભેળ રાષ્ટ્રીયતામાં હતી. સંભવ છે રાષ્ટ્રદેવતાની પ્રતિમા જ એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતી હશે અને બીજી સંકુચિત પ્રવૃત્તિઓમાં દાખલ થતાં એમને રોકતી રહી હશે. જે કંઈ કરવું તે રાષ્ટ્રહિતને આગળ વધારે એ દૃષ્ટિએ જ કરવું, જેથી દેશનો સમગ્ર માનવસમાજ એના લાભનો અધિકારી બની શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy