SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રસ્તુત “ઘાયદુત્તારું માન ૨' ગ્રંથમાં આવેલી બીજા ક્રમાંકવાળી શ્રી વીરભદ્રાચાર્યવિરચિત આરાધનાપતાકાની વાસુ–પ્રકીર્ણકસૂત્ર તરીકે પ્રકારાંતરે ગણના થયેલી હોવાના કારણે પ્રસ્તુત ગ્રંથનું નામ “વરૂouTયત્તારું માન ૨' રાખ્યું છે. પ્રકીર્ણકસૂત્રોના સંબંધમાં “વરૂconયમુત્તા મા . માં જણાવેલ “ન–સાષિત સંક્ષિપ્ત વતી' તથા પ્રસ્તાવના જેવાની ભલામણ કરું છું. આ ગ્રંથમાં આવેલી કુલ બાર રચનાઓને સંશોધિત-સંપાદિત કરવા માટે, બારેય રચનાઓની, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ વિદ્વદર મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે નકલ કરાવેલી, અને તેમાં પ્રથમ ક્રમાંકવાળી પ્રાચીનાચાર્યવિરચિત આરાધનાપતાકાની નકલને પ્રત્યંતરો સાથે મેળવીને સંશોધિત કરેલી. કેવળ આ એક ગ્રંથની પ્રતિઓની નોંધ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ લખેલી મળી છે. બાકીની અગિયાર રચનાઓની પ્રતિઓના સંબંધમાં તેઓશ્રીના મનમાં સ્પષ્ટ હશે, પણ તેઓશ્રીએ લખેલી કોઈ નોંધ મળી નથી. આ અગિયાર રચનાઓની પ્રતિઓનો પરિચય મેં અન્ય ગ્રંથભંડારોમાં તપાસ કરીને લખ્યો છે. બીજા ક્રમાંકવાળી શ્રી વીરભદ્રાચાર્યવિરચિત આરાધનાપતાકાની નકલ, પૂજ્યપાદ આગમાં પ્રભાકરજી મહારાજ સાહેબ, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદની પ્રતિ ઉપરથી કરાવેલી. તેઓશ્રીએ તેનું સંશોધન અચાન્ય પ્રતિઓના આધારે જરૂર કર્યું હશે. આમ છતાં તેવી બીજી કોઈ પ્રતિની નોંધ મને મળી નહીં તેથી પાટણના ભંડારોની પ્રતિઓ મંગાવીને મેં પ્રસ્તુત રચનાને મેળવી છે. અહીં વિશેષ હકીકત એ છે કે, જેમ નાના-મોટા ગ્રંથોનાં પ્રત્યંતરો મેળવતાં ઠીક ઠીક પ્રમાણમાં પાઠભેદો મળે છે તેમ આ રચનામાં નથી મળતા. મેં મેળવેલી છ પ્રતિઓમાં પ્રાયઃ એક જ સરખી વાચના મળે છે. આથી જે બે પ્રત્યંતરોએ કવચિત પાઠભેદ આપ્યા છે તે નોંધીને તે બે પ્રતિઓનો જ પરિચય આપ્યો છે. ત્રીજા ક્રમાંકવાળી પર્યનારાધનાની નકલ, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદની પ્રતિ ઉપરથી કરાવેલી, અને શોધેલી. આ રચનાના પ્રત્યંતરની અપેક્ષાએ પાટણને ભંડારોની મુદ્રિત સૂચી જોતાં તેમાં નોંધાયેલ “ઢઘુમરાધનકશીર્નવ' નામવાળી બે પ્રતિઓ મને જણાઈ. આથી પાટણ જઈને શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સૂચિત બે પ્રતિ જોતાં નક્કી થયું કે, દુ ધનાગરીક અને પ્રસ્તુત ગ્રંથગત વવંતારાપા, આ બન્ને ભિન્ન નામવાળી એક જ રચના છે. આથી પાટણના ભંડારની બે પ્રતિઓની સાથે પ્રસ્તુત રચનાને મેળવીને તેના પાઠભેદ મેં નોંધ્યા છે. પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ પ્રસ્તુત રચનાને, વગંતાળા અને ઢઘુમારેષનાગર એમ બે નામથી ઓળખાવી છે, તેમાં પન્નતાદળ નામ વધારે સંગત છે. ઘણાં વર્ષો પહેલાં જ્યારે તેઓશ્રીએ પાટણન, ભંડારોની સૂચી બનાવી ત્યારે આ રચનાનું નામ ઘુમાર ધનારક નોંધેલું, તે તેઓશ્રીએ જ પ્રસ્તુત રચનાને સંપાદિત કરતી વખતે સુધાર્યું છે, એમ જાણી શકાય છે. ચોથા ક્રમાંકમાં આવેલ “માર/g/11ળTની નકલ, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ જે પ્રતિ ઉપરથી કરાવેલી તેની માહિતી મને મળી નથી. સૂચિત નકલ કરાવ્યા પછી, આચાર્ય શ્રી ઉદ્યોતનસૂરિવિરચિત “યુવમ સ્ટાર” પ્રકાશિત થઈ અને તે પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ જિજ્ઞાસુ સાધુ-સાધ્વીસમૂહને સાવંત વંચાવી. તેમાં પ્રસ્તુત “મારાંઢળાવના છે જુઓ સિંઘી જૈન ગ્રંથમાલાદ્વારા પ્રકાશિત કુવામાાજા પૃ. ૨૬૯થી ૨૮૦. આથી પૂજ્યપાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy