SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન શ્રી મહાવીર જૈન આગમ ગ્રંથમાળામાં “વરૂકુત્તારૂં–માન ૨' પ્રગટ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આ ગ્રંથના પ્રકાશન સાથે અમારી આ જૈન આગમ ગ્રંથમાળામાં અત્યાર સુધીમાં કુલ ૨૨ આગમસૂત્રોનું પ્રકાશન થાય છે. આ ગ્રંથનું સંપાદન દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિ ભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજે કર્યું હતું અને તેમાં વિવિધ હસ્તપ્રતોના પાઠોનો આધાર લઈ, નિર્ણય કરી, સંશોધિત પ્રમાણભૂત અધિક્ત વાચના ૫. અમૃતલાલ ભોજકે તૈયાર કરી આપી છે. આ બંને સંપાદક મહાનુભાવોના અમે અત્યંત ઋણી છીએ. ૫૦ અમૃતલાલ ભોજકે પોતાના સંપાદકીય નિવેદનમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ હસ્તપ્રતો વિશે વધુ પ્રકાશ પાડ્યો છે. અમે અમારા અગાઉના પ્રકાશમાં જણાવ્યું છે તેમ પૂજ્યપાદ મુનિભગવંત શ્રી આગમપ્રભાકરજી મહારાજના તા. ૧૪-૬-૧૯૭૧ ના રોજ થયેલા દેહાવસાન પછી સમગ્ર જૈન આગમોનાં સંશોધન-સંપાદન કરવા-કરાવવાની સંપૂર્ણ જવાબદારી પૂજ્યપાદ વિઠકર મુનિભગવંત શ્રી જંબૂ વિજયજી મહારાજ સાહેબે સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યા છે. સન ૧૯૭૨-૭૩ થી તેઓશ્રી અવિરત શ્રમ લઈને આગમપ્રકાશન કાર્યને વેગ આપી રહ્યા છે. તેઓશ્રીનો આ મૃતભક્તિરૂપ સહકાર સમગ્ર જૈન જગતને અને વિદ્વર્ગને અનેક પ્રકારે ઉપયોગી થયો છે. આ ઉપકારથી પ્રેરાઈને તેઓશ્રીનો તથા તેમના સદૈવ સહાયક શિષ્ય પરમપૂજ્ય મુનિવર શ્રી ધર્મચંદ્રવિજયજીનો અમે અંતઃકરણથી ઉપકાર માનીએ છીએ. બધાં મૂળ પવિત્ર આગમસૂત્રોને સંશોધિત, સંપાદિત કરી પ્રગટ કરવાની જૈન આગમ ગ્રંથમાળાની યોજનાના પ્રણેતા શ્રુતશીલવારિધિ દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાથે દાયકાઓના ભક્તિભર્યા ગાઢ પરિચયને કારણે પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક આગમ સંશોધન-સંપાદન કાર્યના અધિકારી બનેલ છે. (પરિણામે શાસનહિતકારી આ અમારી પ્રવૃત્તિમાં પ્રારંભથી તેઓનો અવિરત સહકાર મળી રહ્યો છે.) પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજે પોતાની હયાતીમાં પધણણય–પ્રકીર્ણકોની સંશોધન-સંપાદન સામગ્રી એકત્રિત કરી હતી. તેઓના કાળધર્મ બાદ પ્રકીર્ણકોનું મહત્વનું શેષ કાર્ય ગુરુભક્તિથી પ્રેરાઈ આત્મીયભાવે તેઓએ પૂર્ણ કરેલ છે. આ રીતે આ સમગ્ર યોજનાના અવિભકત અંગરૂપ બનેલ ૫૦ શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકના અનેકવિધ સહકાર બદલ અમે ઋણી છીએ. અમારી આગમપ્રકાશન યોજનાના પ્રારંભથી જ, ભારતીય દર્શનશાસ્ત્રોના ઊંડા અભ્યાસી ૫૦ શ્રી દલસુખભાઈ માલવણીયાનો આત્મીયભાવે સહકાર મળેલ છે. આ ગ્રંથની ગુજરાતી ભાષામાં લખેલી પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર સુવિખ્યાત વિદ્વાન ડૉ. નગીનદાસ જે. શાહે કરેલ છે. અમારી સંસ્થાના અવિભાજ્ય અંગભૂત સંનિષ્ઠ ડિરેકટર શ્રી કાન્તિલાલ ડાહ્યાલાલ કોરાએ મુદ્રણ આદિ કાર્યની બધી જ જવાબદારીઓને પોતાની સમજીને અસાધારણ સહકાર આપેલ છે. જ્ઞાન પ્રકાશનના આ કાર્યમાં સહકાર આપવા બદલ અમે આ ત્રણેય વિદ્વાનોના આભારી છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy