SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થને ૭૯ ન માને. એને પાંચે વ્રતના વિષયે સરખી રીતે ત્યાજ્ય લાગે. મળે તે એમાં મજા નહિં, ન મળે તેા તેના તરફના શૈાચ નહિ. આવું બેદરકારી જેવું વલણુ અથવા રાજીનામું તેણે માનસિક દૃષ્ટિએ કેળવેલું હોય છે. પરિગ્રહ-ધનધાન્ય, રૂપું, સુવણ†, દ્વિપદ (બેપગાં જનાવર), ચતુષ્પદ (ચારપગાં જનાવર), કુષ્ય, ક્ષેત્ર (ખેતર) કે ગામની સ્થાવર મિલ્કત, વસ્તુ (ફની ચર અથવા ગૃહેાપસ્કાર) એ બધી વસ્તુના માટે મોટો ત્યાગ હોવા ઉપરાંત તેને નીચેના સાત મળીને કુલ ખાર વ્રત લેવાનાં હાય છે, તે નીચે પ્રમાણે. આ રતિઅરતિ શબ્દથી પરિગ્રહ અધ્યાહાર છે એમ સમજવું. આ પાંચ અણુવ્રતે તે પ્રથમના પાંચ વ્રત. તિતિમાં સાતમું ભાગે પલેગ વ્રત અને આઠમું અનર્થદ'ડ પશુ લઈ શકાય. છઠ્ઠું· દિગ્દત--પેાતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાએ તથા વિદિશાઓનું પરિમાણુ નક્કી કરી તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યની નિવૃત્તિ લેવી તે ક્રિશ્ વિરતિત્રત. સાતમુ' દેશાકાશિકાત——છઠ્ઠા દિવિરતિતમાં ઠરાવેલ મર્યાદાના પણ વખતે વખતે પ્રસંગે સંકોચ કરી તે ક્ષેત્રમાં સ અધર્મકાર્યમાંથી વિરમવાનું વ્રત. આઠસુ' અન દડવ્રત--પેાતાને લાભ ન કરે, નકામા પાપ બંધાય, રાજકથા, દેશકથા, ભેાજનકથા કે સ્રીકથા કરવામાં નકામો સમય જાય, દળવા, ખાંડવાના નકામે ઉપદેશ અપાય, સલાડુ દેવાય તેમ જ નાટકસિનેમામાં રાગોષ્ટિથી જવાય એ સ નકામા પાપામાંથી વિરમવું તે આઠમું વ્રત અનર્થદડવિરમણુ. ગૃહસ્થનાં ખાર ત્રતામાંથી આઠ વ્રતની વાત આ ગાથામાં કરી છે. તે ખૂબ વિચારવા ચેાગ્ય છે. (૩૦૪) વળી તે ગૃહસ્થ કેવા હાય ? सामायिकं च कृत्वा पौषधमुपभोगपारिमाण्यं च । न्यायागतं च कल्प्यं विधिवत्पात्रेषु विनियोज्यम् ||३०५ || અથ--તે સામાયિક અને પૌષધ કરે છે, ઉપભોગની મર્યાદા બાંધે છે અને ન્યાયપૂર્ણાંક પ્રાપ્ત કરેલી કલ્પ્ય ચીજનું સુપાત્રે દાન કરે છે. (૩૦૫) વિવેચન-ગૃહસ્થનાં ખાકીનાં ચાર વ્રતાની વાત આ ગાથામાં કરવામાં આવી છે. સામાયિક——ગૃહસ્થનું નવમું વ્રત. અડતાળીશ મિનિટ કે વધારે વખત એક સ્થાને સ્થિર બેસી જ્ઞાનમાં કે ધ્યાનમાં વખત પસાર કરવા તે નવમું વ્રત છે. એટલે વખત શ્રાવક સાધુ જેવે। આચાર કરે સામાયિક કરતી વખતે કોઈ જાતનું દુર્ધ્યાન ન કરવું, સમતાની વાનકી લેવી. છે. Jain Education International આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy