SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રશમરતિ વિવેચન સહિત અનર્થ એટલે અનિષ્ટ, આપણને ન ગમે તેવું. આપણે બીજાને પણ ન ઈચ્છીએ તેને – અર્થ વગરનાને – અનર્થો કહેવાય. (૨૪) પ્રત્યેક કષાયથી થતા અનર્થોની રૂપરેખા क्रोधात् प्रीतिविनाशं मानाद्विनयोपघातमाप्नोति । . शाठयात् प्रत्ययहानि, सर्वगुणविनाशनं लाभात् ॥२५॥ અર્થ– ક્રોધથી પ્રીતિને નાશ થાય, માનથી વિનય ગુણને નાશ થાય, માયાથી વિશ્વાસને નાશ થાય અને લેભથી સર્વ ગુણની ઉપર હડતાલ પડે છે. (૫) વિવરણ–આ ચારે પિકી પ્રત્યેક કષાયથી સુધરી ન શકે તેવું નુકસાન થાય છે. માટે એ કષાયે કરવા જેવા કે અનુસરવા જેવા નથી. તે પ્રત્યેક કષાયથી કેટલી હાનિ થાય છે તે વિચારીએ - ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. પ્રીતિને અર્થ કેશકાર આનંદ, હર્ષ અથવા સંતેષ આપે છે. અત્યારની ભાષામાં જેને પ્રેમ અથવા love, affection કહે છે, તેની ગેરહાજરી કરી નાખે છે. એટલે કોધી સ્વભાવના પુરુષના સંબંધમાં કઈ વહાલી સ્ત્રી તેના પર પ્રેમ કરતી નથી કે ભાઈએ ભાઈઓમાં અથડામણ ઊભી થાય છે. ક્રોધથી આવવું બધું નુકસાન થાય છે. ક્રોધીની પડખે કઈ ચડતું નથી. એવા દેધી ધમધમતા માણસને એળે પણ અંતે કંઈ ઊતરતે નથી. એવા માણસનું કોઈ સગું થતું નથી. એને બધા દૂરથી નમસ્કાર કરે છે અને એ માણસ દૂર દૂર રહે એમ ઇચછે છે. એ પાસે આવે તે સારે નહિ, એટલે ક્રોધી માણસની નજીક કેઈ આવતું નથી અને તેનું કોઈ સારું બેલતું નથી. એને તે ન જ દીઠા હોય તે સારા, એમ ક્રોધી માણસને માટે સર્વ ધારે છે. * માનથી વિનયનમ્રતા ગુણને નાશ થાય છે. અભિમાની માણસે પિતાના આઠમાંથી કઈ પણ બાબતને મદ કરે છે. (એ આઠે જાત પર હવે પછી વર્ણન આવશે) જ્યાં અભિમાન હોય ત્યાં પ્રાણી વિનયગુણને હાનિ કરે છે અને વિનય તે ધર્મનું મૂળ હોવાથી ધર્મને નાશ કરે છે. વિનયી માણસને શરમાળપણું કે નમ્રતા વધારે હોય છે. એ ગુણને માન નામને કષાય ઘાત કરે છે. અભિમાની માણસને પિતાની જ વાત યાદ આવ્યા કરે છે, એટલે એ બીજાના સંબંધની વાત કરતું નથી અને પિતામાં ગુણ હોય કે પિતાનું કુળ કે જાતિ સારી હાઈ તેની વાત કર્યા કરે છે. અમારા બાપદાદા આવા, તેમણે કેટલાં દેશતેડાં કર્યા, કેટલા માણસોને જમાડ્યા અને પોતે તે અદ્દભુત જ્ઞાની કે બહાદૂર લડ છે, એવી એવી ડીંગ મારે કે સાચી વાત કરે તેને બીજા માટે કાંઈ લાગતું નથી. પિતે પિતાની વાત કરવી, એ અશિષ્ટ છે; સારા માણસને તે ગમતું નથી અને વિનયગુણ આખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy