SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાને જવાના જ્ઞાનથી માથાં પછાડવાં. એમ ચારે ગતિમાં દુઃખ છે. એ સાંભળી પ્રાણ નિવેદ પામે છે. એને સંસાર પર ત્રાસ થઈ જાય છે. આ ચોથા પ્રકારની સુસ્થા થઈ. આ રીતે આક્ષેપણ, વિક્ષેપણું, સંવેદની અને નિર્વેદની એમ ચાર પ્રકારની કરવા ગ્ય કથા થઈ. હવે ચાર પ્રકારની અનર્થદંડની ન કરવાચોગ્ય કથાઓને ત્યાગ કરવાનું જણાવે છે, તે વિચારીએ. સ્ત્રી–સ્ત્રીઓ સંબંધી વાત કરવી. તે ચાલવામાં આવી છે, અને તેની ગતિ મૃગલી જેવી છે, તે બેલે ત્યારે તેના મુખમાંથી ફૂલ ઝરે છે અને તે પાણીનું બેડું લઈને પગ આગળ ચલાવે ત્યારે તે હાથીની ગતિએ ચાલે છે, તે દુશ્ચરિતા છે, પતિને દ્રોહ કરનારી છે, વેશ્યા છે, કુલટા છે–એવી એવી સ્ત્રીસંબંધી વાત કરીને લેવાદેવા વગરની જીભની લબરકી પૂરી કરવી તે પ્રથમ સ્ત્રીસંબંધી અનર્થદંડની કથા. ભેજન–આ બીજી અનર્થદંડની કથા છે. ફલાણુ શેઠે નાત જમાડી, તેમાં બે પકવાન કર્યા હતાં અને મણ ખાંડે સાડા ત્રણ શેર ઘી પાયું હતું અને ફલાણાએ તાંબડી ઘી પીરસ્યું –એવી એવી ભજન સંબંધી નકામી વાતે કરવી તે ભેજનકથા નામની કુકથા બીજી જાણવી. - ચારસ્થા–ફલાણાએ ચોરી કરી તે વૈજ્ઞાનિક પદ્ધતિએ કરી, રૂમાલ સુંઘાડીને ચોરી કરી, અને ચાર આ રસ્તે રાત્રે આવ્યા અને પેલે રસ્તે ગયા. એવા ચારના પરાક્રમની વાતે ચગાવી ચગાવીને કરવી તે ત્રીજી ચૌરકથા. કેઈ સ્થાનકે એને રાજકથા પણ કહેવામાં આવે છે. જ્યારે દેશી રજવાડા હતાં ત્યારે રાજાઓ સંબંધી, તેઓએ કરેલ રાજ્યવ્યવસ્થા સંબંધી અને દિવાનએ કરેલાં કાળધેળાં, પ્રીવલેજ લીવ, કપાત પગારે નેકરી, અને એવી એવી રાજ્યરસમની વાત અને અત્યારના જનસત્તાક રાજ્યમાં અમુક પ્રધાન આમ બેલ્યા વગેરે વાતે કરવી તે ત્રીજી રાજકથા કહેવાય. એ અનર્થદંડની કથાઓ છે. - જનથા–લેકે આમ વર્યા અને તેમ વર્યાં અને પક્ષે ગયા અને આવ્યા એવી લેકે સંબંધી વાતે કરવી. કથા, ભેજનકથા, ચરકથા અને જનકથા, આ ચારે કથાઓ તજવા ગ્ય છે, એને તે દૂરથી નમસ્કાર કસ્વા જેવી એ કથાઓ છે. એ ચારે કથા તજવા ગ્ય છે, છોડી દેવા જેવી છે, નકામી પિતાને ભાર કરનારી છે અને પ્રાણીને ભારે કરનાર છે. આ રીતે કરવાગ્ય કથાના ચાર પ્રકારે બતાવ્યા અને અનર્થકારી ન કરવા ગ્ય કથાના ચાર પ્રકારે બતાવ્યા. એના પર ઘણે વિચાર કરવો જોઈએ, તે હવે જણાવવામાં આવે છે. (૧૮૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy