SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ યતિધર્મ દાવ તેઓની ભાષામાં હતું જ નથી. આવા સરળ માણસને ધર્મ થાય છે અને ધર્મ વગર મેક્ષ થતું નથી. એટલે પરમ આનંદનું કારણ કે આ મેક્ષ છે, તે તે વગર સાધ્ય થઈ શકતું નથી. આ મોક્ષ તે કોઈ પણ પ્રકારે મળવો જોઈએ. આપણે પ્રયત્ન એ શાશ્વત સુખ માટે જ છે. એટલે આ આર્જવનો ત્રીજો યતિધર્મ મોક્ષસુખ માટે જરૂરી છે. સરળતા વગર ધર્મ અને ધર્મ વગર અનંત સુખ મળતું નથી. (૧૦૦) ચોથા યતિધર્મ શૌચનું વર્ણન– यद् द्रव्योपकरणभक्तपानदेहादिधारक शौचम् । तद् भवति भावशौचानुपरोधाद्यत्नतः कार्यम् ॥१७१॥ અથ–જે, કાંઈ દ્રવ્ય ઉપકરણ, ભજન અને પાન (પીવાનું) તેમ જ દેડ (શરીરને) ધારણ કરવાનું એ બધાને લઈને થતી જે ક્રિયા પવિત્રતા માટે કરવી પડે, તેમને પવિત્ર રાખવા પડે તે, ભાવશૌચને વાંધો ન આવે તેમ યત્નપૂર્વક થાય. (૧૭૧) - વિવરણ–દ્રવ્યોપકરણઃ વસ્ત્ર, પાત્ર કે પાટપાટલાં જે લેવા પડે તે ઉપગપૂર્વક લેવાં અને તે એવી રીતે લેવાં કે એમ કરવા જતાં ભાવશૌચને વાંધો ન આવે. એટલે, હવે પછી ભાવશૌચની વિગત આપવામાં આવશે. તેને અડચણ અગવડ ન થાય, તેને વધે ન આવે તે રીતે લેવાં. સાધુઓને પાટપાટલાં, પુસ્તકાદિ અને દ્રવ્યાપકરણ રાખવાં પડે છે, પણ તેમાં કડી લેવા જતાં પાટણ પરવારી બેસાય તેમ થવું ન જોઈએ. શરીરની રક્ષા માટે તે લેવાં પડે તે તેને લેવા જતાં ભાવશૌચને વાંધો આવી જાય તેમ થવું ન જોઈએ. એટલે ચેડા લાભ ખાતર ભાવશૌચને વધે તે આવવા દેવે જ નહિ. આ વાત પિતાના વસ્ત્ર, રજોહરણાદિ જરૂરી વસ્તુ માટે સમજવી. તે લેતી વખતે પણ ભાવશૌચને વાંધો ન જ આવવા દેવો ઘટે. ભકત-ભજન. શરીરને ટકાવી રાખવા માટે ભેજન તે લેવું પડે, પણ તે એવું ન લેવું અથવા એવી રીતે ન લેવું કે તેથી નિર્લોભતા, નિઃસ્પૃહતા, વગેરે કોઈ પણ શૌચને અડચણ થાય.' પાન–જેમ આહાર તેમ પાણ પણ શરીર ધારણ કરવા માટે જરૂરી છે તે પાન કરવું. પીણું લેવું તે પણ નિર્લોભતાપૂર્વક, ભાવશચના ગુણને વિરોધ ન આવે તેમ લેવું. દેહાદિધારકં–શરીર ધારણ કરવાને અંગે, શરીર ધારણ કરવા માટે જે પખાળવું વગેરે દે થાય છે તે પણ ભાવશૌચને વધે આવે તેવા ન હોવા જોઈએ. મૂળ વાત એ કે શૌચમાં પ્રાધાન્ય ભાવશૌચને આપવું. શરીરાદિક કારણે એને પખાળવું, એને સાફ રાખવું, વગેરે કરવું પડે તે ભાવશૌચને વાંધો ન આવે એમ કરવું. આમાં પ્રધાન્ય ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy