SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ૪૩૩. મારા.. . સાંભળવું સિદ્ધાંતનું રે, દેહિલું તસ ચિત્ત ધરવું રે; સુધી સહણું ધરી રે, દુક્કર અંગે કરવું છે. સામગ્રી સઘળી લહી રે, મૂઢ મુધા મ મ હારો રે; ચિંતામણિ દેવી દઓ રે, હાર્યો જેમ ગમારે છે. મેરા.૪ લેહકીલકને કારણે રે, યાન જલધિમાં ફેડે રે, ગુણકારણ કેણુ નવલખે રે, હાર હિયાને ગેડે રે. મોરા....૫ બધિયણ ઉવેખીને રે, કેણ વિષયાથે દેડે રે? કંકર મણિ સમેવડ કરે રે, ગજ વેચે ખર હોડે રે... મારા...૬ ગીત સુણી નટણી કને રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે , કુમરાદિક પણ સમજીયા રે, બેધિયણ સંભાયું છે. મોરા.૭ એને અર્થ કરતાં કુંવરજી આણંદજી લખે છે કે “રે મારા જીવન! (આત્મા !) તમે અગિયારમી બે ધિ(દુર્લભ)ભાવના હૃદયમાં આ પ્રમાણે ભા. દશ દષ્ટાતે કરીને દુર્લભ એ મનુષ્યજન્મ પુણ્યગે પ્રાપ્ત થયું છે, તેમાં પણ આકાશના ફૂલ જેવું આર્યદેશમાં ઉત્પન્ન થવું દુર્લભ છે, તેમાં પાછું ઉત્તમ કુળ દુર્લભ છે, તેમાં પાંચ સુંદર ઇન્દ્રિય પામવી દુર્લભ છે, નીરોગી દેડ દુર્લભ છે, તેમાં પણ સદ્દગુરુ ને ધર્મને વેગ પામે દુર્લભ છે, તે પેગ પ્રાપ્ત થયા છતાં પણ સિદ્ધાંતનું સાંભળવું દુર્લભ છે, સાંભળ્યા પછી તેને ચિત્તમાં ધારણ કરવું દુર્લભ છે અને ચિત્તમાં ધારણ કર્યા છતાં પણ તેની ઉપર પૂરતી શ્રદ્ધા બેસવી દુર્લભ છે, શ્રદ્ધા બેઠા પછી પણ તે પ્રમાણે વર્તન કરવું તે અત્યંત દુર્લભ છે.” (૧-૨-૩) - “મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઇંદ્રિયે પૂરી, નીરોગી શરીર, દેવગુરુધર્મને સંગ-ઈત્યાદિ સામગ્રી પામીને રે મૂઢ! તું તેને ફેગટ હારી ન જા. આ સ્થિતિમાં પણ જે તું હારી જઈશ તે દેવીએ આપેલા ચિંતામણિ રત્નને હારી જનાર ગમારની જે તે ગમાર કહેવાઈશ. (૪) અરે ભવ્ય પ્રાણી! તું વિચાર કર, કે લેઢાના ખીલાને માટે ભરસમુદ્રમાં પિતે જેમાં બેઠેલે હોય તે વહાણને કોણ ભગ્ન કરે અને દોરીના કકડાને માટે નવલખે હાર કેણું તેડે? તેમ ઇદ્રિયના વિષયને માટે બધિરત્નને ઉવેખીને તે વિષયને લેવા કેણ દોડે? આ મનુષ્યજન્મ ઇંદ્રિયના વિષયેમાં આસક્ત થવા માટે નથી, પણ બધિરત્ન પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયું હોય તે તેને સાચવવા માટે છે. તેમ છતાં વિષયમાં લુબ્ધ જે પ્રાણી મનુષ્યજન્માદિ પ્રાપ્ત સામગ્રીને દુરુપયોગ કરે છે, તે કાંકરાને મણિ સમાન ગણે છે અને ગધેડાની હોડમાં (બદલામાં) હાથીને હારી જાય છે.” (પ-૬). પ્ર. ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy