SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરત વિવેચન સહિત બાલચનાનું બચ્ચું હજુ જરા ખેલતું થયું હેાય, તે કદ્યાપિ તતડુ’-ખડુ કે કાલુંઘેલું લે તે પણ માતા-પિતા કે ઘરનાં સર્વાંને ગમે છે તેની પેઠે. (આગળ કહેવાશે) કાહલ—કાલુંઘેલું, અસ્પષ્ટ. બાળક ગમે તેવું અચાક્કસ કે કાલુંઘેલું વચન ખાલે, તે સક્કરપારાને સકલપાલા કહે કે ઘીને “જી” કહે, માપાને આપા કહે, તે પણ માત-પિતા મોટાભાઈ આદિ ઘરનાં સર્વાંને તે વચન સારાં લાગે છે. કોઈ ખાળક-બચ્ચાને સાંભળી એવું નથી કહેતું આ અસ્પષ્ટ વચન ખેલે છે. તેનું કાલુંઘેલું વચન સાંભળીને પશુ માબાપ વગેરે રાજી થાય છે. પિતૃ—માબાપ, મોટાભાઈ, કાકા-એમ આ એક પિતૃ શબ્દથી તે બાળકના જન્મ્યા પહેલાં જન્મેલના આખા વગ સમજવા. મલાપતુ —લવેલું, ગમે તેમ ખેલાયલું, વગર વિચારે કાઢેલ-લવેલ, એ એને અસલ અથ છે. જેમ બાળક માખાપ પાસે કાલુ ઘેલું અસ્પષ્ટ વચન મેલે તે ટીકાપાત્ર થતું નથી, પણ ઊલટાં માબાપ વગેરે વડીલવગ તેથી રાજી થાય છે, તેમ હું આ ગ્રંથમાં ગાંડી ઘેલી કે જેવીતેવી વાત કરી જાઉ, તે તે પણ સજ્જન પુરુષે સારા અર્થમાં લઇ લેશે એવી સજ્જન પુરુષો માટે મને ખાતરી છે. તેઓ કહેશે કે, હુશે! હજુ એ બાળક છે? કદાચ જેવું તેવું ખેલી નાખે તે આપણે તેને સારા અર્થમાં સમજવું જોઈએ, અથવા તેના ખરાબ અર્થ હેાય તે તેને સારા અથ માં લેવા જોઈએ.’ સિદ્ધિ ખ્યાતિ, આબરૂ. કદાચ આ પુસ્તકમાં મેં જેવુંતેવું લખ્યું હાય તે પણ સજ્જનપુરુષો જો આ ગ્રંથના સ્વીકાર કરે તે ખસ છે. કારણ કે મારા બચ્ચા જેવાં કાલાંઘેલાં વચનને પણ તેઓ સારા અથમાં સમજી જશે. કારણ કે, આગળ જણાવ્યું તેમ, સજ્જનના એ સ્વભાવ છે. લેખકને પેાતાનું પુસ્તક મનનીય થાય તે માટે કેવી કેવી દલીલ કરવી પડે છે, તે ખાસ વિચારવા લાયક છે. આ ગ્રંથના લેખક નમ્ર ભાવે કહે છે કે, આ પુસ્તકની ખ્યાતિના બધા આધાર સજ્જન પુરુષો તેની ગણના કરી સ્વીકાર કરે તેમાં છે. કદાચ કોઈ સ્થાને મેં અગડ’-ભગડ લખ્યું હશે તે તેને પણ તે સારા અર્થમાં સમજી લેશે અને મારા અપલાપને પણ ચલાવી લેશે. આ એક દલીલ કરવાની પદ્ધતિ છે. અને પ્રાચીન પુરુષોએ એવી અનેક માગણીઓ કરી છે, તે બતાવે છે કે, લેખક અત્યંત નમ્રતા બતાવે છે. આ વાતની ખાતરી પુસ્તક વાંચવાથી જ થાય તેમ છે. (૧૧) પુનરુક્તિ દેષ થતા નથી, તે જરૂરી છે— Jain Education International ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy