SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનો ૪૫ કાંઈ અણાવવું અને તેથી જે ક્રિયા લાગે તે આજ્ઞાપનિકા-આયનિકી ક્રિયા, (૧૮) જવા તથા અજીવનું વિદારણ કરવું, ભાંગવું તે વિદારણિકા કિયા, (૧૯) ઉપગશૂન્યચિત્તે કોઈ વસ્તુ લેવી અથવા મૂકવી અથવા ઊઠવું, બેસવું, કામાદિક કરવું તે અનાગિકી ક્રિયા, (૨૦) આ લેક-પરલેકથી વિરુદ્ધ કાર્યનું જે આચરણ કરવું તે અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા, (૨૧) મનવચનકાયાના યેગોનું દુબણિધાન, તેમાં પ્રવર્તન કરવું પણ નિર્વતન કરવું નહિ તે પ્રાયગિકી ક્રિયા, (૨૨) કોઈ એવું મોટું પાપ કરવું કે જેથી આઠે કર્મોનું સમુદાયપણે ગ્રહણું થઈ જાય તે સામાદાનિકી ક્રિયા, (૨૩) માયા તથા લેભવડે જે કાંઈ કરવું એટલે પ્રેમનાં વચન એવાં બેલાય કે જેથી રાગની અધિક વૃદ્ધિ થાય તે પ્રેમિકી ક્રિયા, (૨૪) ક્રોધ તથા માન વડે એવાં ગતિ વચન બોલે કે જેથી આગલાને દ્વેષ ઉપજે તે હેલિકી ક્રિયા, (૨૫) કેવળ કાયાગને જ પ્રવર્તાવવાથી જે ક્રિયા લાગે તે ઈર્યા પથિકી ક્રિયા. અપ્રમત્ત સાધુને તથા કેવળીને પણ આ ક્રિયા હેય. આ રીતે આસવના બેતાલીસ પ્રકાર જૈન સૂત્રોમાં તથા પ્રકરણ આદિક ગ્રંથમાં બતાવ્યા છે. પચીશ કિયા જીવહિંસાને અંગે સીધી કે આડકતરી રીતે લાગે છે. એથી જૈન દર્શનાનુસાર જીવહિંસાનું કેટલું મહત્ત્વ છે તે સમજાયું હશે. આ સિવ વાતે વિસ્તારથી લખવાને હેતુ તેનું ચિંતવન કરવાનું છે. દોષને ટાળવા માટે પ્રથમ તેને ઓળખવો જોઈએ. ઓળખ્યા વગર તેનું ચિંતવન, તે સંબંધી ઉપયોગ અને તેને ત્યાગ થઈ શકે નહિ અને ભાવનાને હેતુ પ્રથમ તેને ત્યાગ કરવા માટે તે સંબંધી વિચાર કરવાને છે, તેને ઓળખવાને છે. આ કર્મના આત્મા સાથે જોડાણનાં અને ભરાવાનાં કારણે જણાવવામાં આવે છે. તેમને બરાબર ઓળખી કર્મ આવતાં કેમ અટકે તે વિચાર કરવાને છે. કર્મને આવતાં અટકાવવાના માર્ગો આપણે આવતી ભાવનામાં જોઈશું. આ આસવ જે નવ તત્વમાંથી એક તત્ત્વ છે તેમને બરાબર જાણું સમજી વિચારવા અને ટાળવા જોઈએ. તેથી આત્મા સંસારમાં પરિભ્રમણ કરતે અટકે છે અને જ્યાં અનંત સુખ થાય છે તેવા મેક્ષે પહોંચી જાય છે આથવભાવનાને અંગે વિનયવિજયજી શાંતસુધારસ ગ્રંથમાં કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબંધના હેતુઓ છે. પછી આશ્રવને ભાવાર્થ સમજાવીને તેઓ ઇંદ્રિયે, કષા અને પચીશ ક્રિયાઓ વર્ણવી તે સર્વ કર્મપ્રાપ્તિનાં ગરનાળાં છે એમ બતાવે છે. કર્મ પ્રાણીને વ્યાકુળ કરે છે, ચંચળ બનાવે છે અને આસોથી આત્મા મેલે થાય છે. પ્રત્યેક સમયે કર્મ બંધાય છે એટલે સરવાળે આવક વધે છે. ત્યારે આ ગરનાળા અટકાવવાનો ઉપાય શોધ જોઈએ. એને જવાબ આવતી આઠમી સંવરભાવનામાં મળશે. સત્તાવન બંધહેતુ પર વિવેચન કરી એ આસને ઓળખી લેવાની જરૂરિયાત પર તેઓશ્રી ભાર મૂકે છે. એમના પરના વિજયની મહત્તા મોટી છે. સમજુ માણસ આ આસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy