SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૩૦૩ (૭) આ અવસર્પિણી કાળચક્રને સુસમસુસમા નામને આરે પૂરે થયે, પછી સુસમા નામને આરે ગયે, તેમ જ પછી સુસમદુસમાં તેમ જ દુસમસુસમાં નામના આરા ગયા અને પછી દુસમસુસમા આરાના પતેર વર્ષ અને નવ મહિના અને તેના પર અર્થે મહિને બાકી રહ્યો ત્યારે, ઉનાળાના ચેથા મહિનામાં, એટલે અષાઢ સુદ છઠને રેજ, જે વખતે ચંદ્રમાં ઉત્તરાફાલ્ગનીમાં હતું તે રજ, મહાવીરને વિમાનમાંથી ઉતપાત થયે. આ વિમાનમાં તેઓ વીસ સાગરોપમ સુધી રહ્યા હતા. જબુદ્વીપના આ ભારતવર્ષમાં દક્ષિણ ભાગમાં જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણને ત્યાં એ આવ્યા. તેમના બાપનું કુડાલોત્ર હતું. (૮) તેઓ દેવલેકમાંથી નીચે ઊતરવાના છે તે જાણતા હતા, ઊતરે છે તે જાણતા ન હતા, ઊતર્યા છે તે જાણતા હતા. (૯) આસો માસમાં ચંદ્ર જ્યારે ઉત્તરાફાગુનીમાં આવ્યો હતે ત્યારે ખ્યાશી (૮૨) દિવસ પછી ત્રાસીને દિવસ ચાલતું હતું ત્યારે ઇંદ્ર અત્યાર સુધીનો નિયમ હતું તે વિચારીને મહાવીરના ગર્ભને ફેરવા. તે રાજગૃહના દક્ષિણ વિભાગમાં હતા ત્યાંથી ક્ષત્રિયેના ઉત્તર વિભાગમાં તેમને ફેરવી આપ્યા. આ બન્ને કુડપુરના જ વિભાગ હતા. (૧૦) ત્રિશલા વાસિષ્ઠ ગોત્રની હતી, તેના પતિ સિદ્ધાર્થનું નેત્ર કાશ્યપ હતું. (૧૧) પિતાને ફેરવીને ત્રિશલાને ત્યાં લઈ જવાના છે તે મહાવીર જાણતા હતા, લઈ ગયા તે જાણતા હતા. લઈ જાય છે તે તેઓ જાણતા ન હતા. (૧૨) ચૈત્ર સુદ તેરસ (૧૩) ને રાજ જ્યારે ચંદ્રને વેગ ઉત્તરા ફાલ્ગનીમાં થયે, ત્યારે નવમાસ અને સાડાસાત દિવસ બે માતાના ગર્ભમાં પૂરા કરીને, તેમને જન્મ થયે. જન્મ વખતે તે તદ્દન તંદુરસ્ત બાળ હતા, અને તેમની માતા ત્રિશલા પણ તદ્દન તંદુરસ્ત હતા. ' ' (૧૩) તેમના જન્મ વખતે ભવનપતિ દે, વ્યંતરદે, જતિષ્ક દેવો અને વૈમાનિક દેવે રાજી થયા અને તેઓએ મોટો મહોત્સવ ઉજવ્યો. (૧૪) મહાવીર ત્રિશલાની કુક્ષિમાં આવ્યા ત્યારથી એનાથી, રૂપાથી, ધનથી, ધાન્યથી, રત્નથી, મતીથી તે કુટુંબ વધ્યું. તેથી તેમના પિતાએ નક્કી કર્યું કે પુત્રનું નામ વર્ધમાન રાખવું. એ ધારણું એણે પૂરી પાડી અને તે અનુસાર તેમનું વર્ધમાન નામ પાડવામાં આવ્યું. ' (૧૫) ત્યાર પછી શ્રી મહાવીરે બાળપણ પસાર કર્યું અને પાંચે ઈદ્રિયના ભોગે ભગવ્યા. (૧૬) શ્રી મહાવીર કાશ્યપ શેત્રના હતા. તેમનાં ત્રણ નામ જાણીતા છે. તેમના માબાપથી તે “વર્ધમાન” નામે બેલાવાતા હતા. તેમનામાં રાગ તથા શ્રેષ ન હતું તેથી તેમનું “શમણું નામ થયું હતું. દુનિયાના દુઃખે તેમણે સહન કર્યા હતાં અને નગ્નત્વ સ્વીકાર્યું હતું એટલે દેવતાઓએ તેમને “મહાવીર” એવું નામ આપ્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy