SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત | () પ્રત્યેક ક્રિયામાં ખૂબ સંભાળપૂર્વક હંમેશાં ગુરુની અનુજ્ઞાપૂર્વક જ વિચરવું. (૪૫) આ સંસારમાં સ્ત્રી પ્રત્યેને મેહ જ ચિત્તને અતિશય મૂંઝાવનાર છે. | (૪૬) પ્રયત્ન છતાં જે વાસનાના પૂર્વસંસ્કારેને વશ થઈને મુનિસાધક વિષયથી પીડાય તે તે બહુ નિર્બળ આહાર કરે, ભૂખ કરતાં ઓછું ખાય, એક સ્થાને ઊભે રહી કાર્યોત્સર્ગ કરે અથવા બીજે ગામ જતે રહે. આટલું છતાં પણ મન વશ ન થાય તે આહારને ત્યાગ કરી દે. (૪૭) આત્મઘાત કરતાં સ્ત્રીસંગને વિશેષ દૂષિત બતાવ્યું તેનું કારણ એ છે કે રીસંગ પહેલાં અનેક પાપ સેવવાં પડે છે. સ્ત્રીસંગ સાધનામાર્ગમાં અપાર ડખલ ઉત્પન્ન કરનાર છે. (૪૮) વાસનાને નાશ કરવા ઈચ્છનાર સાધકે સ્ત્રીઓની શૃંગારકથા ન કરવી, સ્ત્રીનાં અવયવ ન જેવાં, સ્ત્રી સાથે એકાંતમાં ગાઢ પરિચય ને રાખો, સ્ત્રીઓથી નેહ ન કરે, સ્ત્રીઓનાં અંગેને અડી સેવા ન કરવી, સ્ત્રી સાથે વાતચીત કરવામાં પણ મર્યાદિત રહેવું. આ સર્વ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. (૪૯) સાધકને અવલંબનની અપેક્ષા તે છે જ, પણ એથી અવલંબન લેનાર જાગ્રત ન રહે તે ચાલી શકે એમ છે કેઈ માની લે ! ગુરુકુળમાં વસતા સાધકેએ પણ સતત જાગૃત રહેવાનું તે છે જ. (૫૦) ભેગથી તૃપ્તિ થતી નથી, પણ ઊલટી વૃત્તિ ઉત્તેજિત થાય છે. (૫૧) પાંચમા ઉદ્દેશકમાં કહ્યું છે કે—મહાન બુદ્ધિમાન જાગરૂક અને આરંભશસ્ત્રોથી વિરમેલા, મૃત્યુને ભય ધર્યા વિના સતત પુરુષાર્થ કર્યો જાય છે, જેમ સમપ્રદેશમાં રહેલું કોઈ જળાશય પિતાના સ્વરૂપમાં મસ્ત રહી હંમેશા નિર્મળ જળથી ભરપૂર અને પિતાના પ્રવાહને પિતામાં સમાવી આત્મરક્ષણ કરતું રહે છે તેમ. (પર) આ માર્ગની યથાર્થતા જાણી તેમાં ગયા બાદ “ફળ થશે કે નહિ થાય” એ સંશય જે સાધક ઘડી ઘડી રાખે છે તે સાધકને સાધનામાં ઉદ્યમવંત રહેવા છતાં સમાધિ પ્રાપ્ત થતી નથી. * (૫૩) જિનેશ્વર દેએ સ્વાનુભવથી જે ભાખ્યું છે તે નિઃશંકપણે સત્ય છે એમ વિચારવાથી એ મહાપુરુષોની આજ્ઞાને આરાધવાની શ્રદ્ધા પ્રગટ થઈ શકશે. (૫૪) મહાપુરુષનાં ગંભીર વચનેને કેટલાક મુનિદેવ સમજીને અનુસરે છે. (૫) મહાપુરુષે દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને શ્રદ્ધાળુ થયેલા ઘણુ મુનિસાધકે ત્યાગ ગ્રહણ કરતી વખતે “જિનભાષિત સત્ય છે એવું માને છે ખરા, પણ તેમાંના કેટલાક જ અંત સુધી તે વિશ્વાસ ટકાવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy