SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત શું અધ્યયન “સમ્યક આ સમ્યફત્વ–આચારાંગસૂત્રનું શું અધ્યયન સમ્યકત્વ નામનું છે. તેમાં નીચે જણાવેલ હકીક્તને સમાવેશ થાય છે. - (૧) જે તીર્થકર થઈ ગયા, હાલ જે વતે છે અને ભવિષ્યકાળમાં થવાના છે તે બધા જણાવે છે કે બેઇઢિયાદિ સર્વ પ્રાણ, વનસ્પતિ વગેરે સર્વ ભૂતે, પંચૅક્રિયાદિ સર્વ જી તથા પૃથ્વી આદિ સર્વને હણવા નહિ, તેમના ઉપર હકુમત ધરાવવી નહિ, તેમને કબજે કરવાં નહિ, સંતાપવાં નહિ અને મારી નાખવાં નહીં. (૨) આ અહિંસાને ધર્મ પવિત્ર, સનાતન અને શાશ્વત છે. " (૩) એ ધર્મ ખરેખરે છે અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. (૪) શાણે સાધક આવા નિર્દોષ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણુને શ્રદ્ધા કર્યા બાદ તેના પાલનમાં આળસુ ન બને અને સમજીને તેને ગ્રહણ કર્યા પછી તે ધર્મને પ્રાણુ જતાં સુધી ત્યાગ ન કરે. (૫) સાધક દેખાતા રંગરાગમાં અંજાઈ ન જતાં વૈરાગ્ય ધારણ કરે. (૬) વળી દુનિયાની દેખાદેખી (અંધ અનુકરણ) પણ ન કરે. (૭) જે મેક્ષાથી સાધકમાં લેકેષણા, બહિર્મુખ દષ્ટિ નથી હોતી તે સાધકને એક સ–વૃત્તિ સિવાય બીજી કશીયે પ્રવૃત્તિ હોતી નથી. (૮) જેઓ સંસારમાં આસક્ત થઈને ખેંચી રહે છે તે છે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. (તત્ત્વદશ વીર સાધકેએ પ્રમાદી જોને ધર્મથી વિમુખ જાણીને અનિશ ઉદ્યમવંત બની સાધનામાર્ગમાં સાવધાનપણે વર્તવું. - (૧) જે આસવ(કર્મબંધ)ના હેતુઓ છે તે સંવરના હેતુઓ પણ થઈ શકે છે અને જે કર્મ ખપાવવાના હેતુઓ છે તે કર્મ બંધાવાના હેતુઓ પણ થઈ પડે છે. (૧૧) જ્ઞાની ભગવાન પિત સરલબોધી અને બુદ્ધિશાળી પુરુષને એવી રીતે ધર્મ કહે છે કે જેથી તેઓ કલેશ, શોક અને પરિતાપના સ્થાનમાં તથા ક્રોધાદિ કષાય અને વિષયાદિ કે નિંદાદિ દુષ્ટ દોષના વાતાવરણમાં હેવા છતાં ધર્માચરણ કરી શકે. (૧૨) આ બધા જ મૃત્યુના મુખમાં જઈ પડયા છે. આવા પ્રાણને માટે મૃત્યુ નહિ આવે એવો તે કશે જ નિશ્ચય નથી, છતાં એ આશાથી તણુતાં ઊંધા સ્થાનવાળાં પ્રાણી કાળના મુખમાં પડ્યાં પડ્યાં પણ જાણે કેમ કદી મરવું જ ન હોય તેમ, પાપક્રિયાઓમાં મસ્ત રહ્યા કરે છે, વિચિત્ર જન્મપરંપરા વધારે છે અને પાછા તેની જ આશાજાળમાં સપડાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy