________________
૪૨
પ્રશમરતિવિવેચન સહિત
રીતે આચારધમ ઉપર ભાર મૂકીને વ્યવહારુ (practical) થવાનું ફરમાવવામાં આવ્યું છે અને તેની ઘણી ઝીણવટમાં તેઓ ઊતર્યાં છે, તે હુવે પછી યાગ્ય સ્થાનકે જાણવામાં આવશે. એ આચારાંગસૂત્ર ઉપર શ્રી શીલાંકાચાય નામના સાધુએ ટીકા લખી ભારે ઉપકાર અને સ્પષ્ટતા કરી છે. આ આચારાંગસૂત્રને અગે અનેક પ્રયાસ થયા છે તે ઉપર જણાવવામાં આવ્યું છે અને તે ઉપયોગી કામથી જનતામાં બહુ પ્રમાદ થયે છે, તેનું અનુસરણુ ખીજાએએ ખાસ કયુ છે અને સાધુ માટેના ઉપયેગી ગ્રંથનું ખીજા જૈનેતરે। અનુસરણ કરે ત્યારે જૈનને માટે તે કહેવાની જરૂર જ ન હોય. આ રીતે જૈનામાં આચારાંગસૂત્ર આનંદપૂર્ણાંક સ'ભળાય છે અને તે તરફ બહુ માનની નજરે જોવાય છે.
આચારના વિષય પરત્વે શ્ર્લોક ૧૧૨-૧૨૦ સુધીના છે, તેમાં પ્રસંગે ઉપદેશાત્મક અને વૈરાગ્યાત્મક અનેક વાત કરી છે, પણ એ બધા આડકતરા વિષયને પ્રધાન સૂર આચારને ખરાખર પાળવા માટેના હાઈ આ પ્રકરણનું મથાળું ‘આચાર' રાખવામાં આવ્યું છે. બીજા ભળતા વિષયે આવે તેમાંથી પણ ‘આચાર'ની મુખ્યતા તરવરે છે. માણુસ ગમે તેટલું જાણે, વિષયે કષાયાને અંકુશ નીચે લે પણ જ્યાં સુધી તેનામાં આચાર વ્યવહારુ રીતે આવતા નથી ત્યાં સુધી એ ઉપદેશ ઉપદેશની કક્ષામાં જ રહે છે. આને માટે પોથીમાંનાં રી‘ગણાં’ એવા શબ્દો વપરાય છે. એમ ન થવા દેવા માટે અને પ્રાણી અને ખાસ કરીને મુનિને વ્યવહારુ રાખવા માટે આ પાંચે પ્રકારના આચારને અહીં બતાવ્યા છે તે આપણે વિચારી જઈએ અને વ્યવહારુ થવાના ખનતા પ્રયત્ન કરીએ. ઉપર આપણે વાંચી ગયા છીએ કે જ્ઞાનસ્ય પણ વિત્તિ એટલે જાણ્યાનું ફળ વિરતિ છે. (જુઓ શ્ર્લોક ૭રમે). એ વિરતિ આચાર સમજવાથી થશે, માટે સૈદ્ધાન્તિક નિયમે જે આગલું પ્રકરણુ મહત્ત્વનું છે, તે વહેવારુ મતે અને આપણા કુલ જાણુપણાના ફળને અંગે આ આચાર સ``ધી વિચારણા ઘણી મહત્ત્વની છે. વિચાર પ્રમાણે આચાર રાખવાના અથવા તેવા થવાના આગ્રડુ સૂચવી આપણે હવે ગ્રથકર્તા સાથે ચાલીએ.
આચારનું મહત્ત્વનું` સ્થાન—
इति गुणदोषविपर्यासदर्शनाद्विषयमूर्च्छितो ह्यात्मा । भवपरिवर्तन भीरुभिराचारमवेक्ष्य परिरक्ष्यः ॥११२॥
અં—એ પ્રમાણે ગુણને દોષ તરીકે જાણનાર અને દોષને ગુણુ તરીકે જાણનાર, એટલે જે વસ્તુ જેવી હાય તેવી ન જાણનાર અને તેનું ઊલટાસુલટું દર્શન કરનાર વિષયમાં મૂર્છા-આનંદ પામે છે, અથવા મૂર્છા પામી તેને પેાતાનેા ગણે છે; એવા જે આત્મા થઈ ગયા છે, તેને સંસારમાં જવાઆવવાની રખડપટ્ટીથી જે ભય પામેલા હોય તેમણે ખરાખર બારીકીથી જોઈને અને તેના ખરે। આચાર શે છે તે જોઈ-જાણીને ખરાખર સંસારની અધોગતિમાં પડતાં બચાવી લેવા જોઇએ. (૧૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org