SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષયો ૨૩૩ થાય તે શ્રોત્રે દ્રિયને વિષય છે. આ પાંચે ઈન્દ્રિયના કોઈપણ વિષયે ક્ષણિક છે, સંસારમાં રખડાવનારા છે, તેમને તે તરીકે ન જાણતાં જેને તેમાં મજા આવે છે અને તે ભેગવવાની જેને મરજી થાય તે હજુ વિષયમાં આનંદ માનનાર છે. કેકને પિતે મરતાં જુએ, છતાં પિતે અહીં બેસી રહેનાર છે તેમ માની ક્ષણિક સુખમાં જેઓને આનંદ આવે છે, અને પિતાની જાતને તે ભેળવવામાં ભાગ્યશાળી કે કૃતાર્થ માને છે તેઓ કેવા માણસે છે તે હવે બતાવે છે. ન તાન માનુષાનું ગણુયે–એમને માણસ ન ગણવા. એમને ગધેડા જેવા કે સુવર જેવા તિર્યંચ ગણવા, કારણ ગધેડામાં અક્કલ ઘણી ઓછી હોય છે. ઓછી અક્કલવાળાને ગધેડે' ગણવામાં આવે છે. એમને ગમે તે ગણે, પણ તે માણસમાં તે ન જ ગણાય. માણસ સિવાય તે દેવ, નારક અને તિર્યંચ ગતિ બાકીમાં રહી. તેઓ દેવ કે નારક તે નથી જ, તેઓ મનુષ્યના રૂપમાં કેઈપણ “જનાવર છે એમ તમે ધારી શકે. એમને કેવા જનાવર ગણવા તે તમારી ઉપર છોડવામાં આવે છે. મતલબ આપણી પોતાની સાથે રમનારા અને આપણું સગાંસંબંધીને મરતાં જોયાં છતાં આપણને વિષયે પર પ્રીતિ થાય તે આપણે મનુષ્ય ગણાતાં મટી જઈએ છીએ. આ વાત આખા પ્રકરણને અગત્યને સાર છે અને હૃદયમાં ઉતારવા ગ્ય છે. (૧૧૦). વિષયેનું પરિણામ સારી રીતે વિચારવું જોઈએ विषयपरिणामनियमो मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्यः । ___ द्विगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ॥१११॥ અથ_ચિત્તને અનુકૂળ વિષયે બાબત બેવડે લાભ (અનુગ્રહ) કરનાર અને આગળ ઉપર કઈ પાપ વધારનાર નહિ એવા પરિણામને દરરોજ નિયમપૂર્વક સારી રીતે વિચારવું. (૧૧૦) - વિવરણ–વિષયપરિણામ–વિષય (કોઈપણ ઈન્દ્રિયને લગતા), તેમના પરિણામ એટલે અધ્યવસાય. વિષય ભેગવવાની આકાંક્ષા થવી અથવા ભેગવતી વખતે થતા આત્માના અધ્યવસાય. એટલે વિષયે ભેગવતી વખતે અથવા તે માટે ઇચ્છા થાય ત્યારે અને ભાગવીને તેમના કબજામાંથી છૂટયા હોઈએ ત્યારે, મનમાં જે પરિણામ–અધ્યવસાય થાય છે તે સવ વિચાર-વાતાવરણ. એટલે, તે વખતે થતી આત્મા અથવા મનની પરિસ્થિતિ અથવા વિષયે શભ હોય તે અશુભ થઈ જાય, અશુભ હોય તે શુભ થઈ જાય એવો અર્થ પણ નીકળી શકે છે એમ કેઈક વિદ્વાનોને મત છે. આવી રીતે શુભ ધારેલા વિષયોનું અશુભ થવું અને અશુભ વિષયેનું શુભ થવું એમ જે થાય છે તે પરિસ્થિતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy