SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કષાએ અને વિષયો એકલું જ્ઞાન કરીને બેસી રહેવાનું નથી, સત્સંગ અને ઉદ્યમથી મેળવેલ જ્ઞાન વર્તનમાં મૂકાય છે માટે ક્રિયા જરૂરી છે અને તેટલા માટે જ પંડિતે ઉપરના સૂત્રમાં જ્ઞાન અને ક્રિયાને સહચાર–જેડલાપણું બતાવ્યું છે. ગુરુના સંપર્કથી અને તમારા ઉદરથી જે જ્ઞાન મેળવો તે સદ્વર્તનશુદ્ધ ચાગ્નિ અને ક્રિયાને સાધનાર જ્ઞાન હોવું જોઈએ. આ ચોથું કારણ જ્ઞાનપ્રાપ્તિ અને તેના ફળની અપેક્ષાએ કહ્યું. સવદહર–પાંચમું કારણ. જે તમને એ ચારે પ્રકારે સત્ય જ્ઞાન મળ્યું હેય તે તેનું ફળ સર્વ પ્રકારના અહંકારને એ દૂર કરનાર છે એમ થવું જોઈએ. આ પાંચ - ગુણે યુક્ત જ્ઞાન સર્વ પ્રકારના જાતિ, કુળ, લાભ, રૂપ વગેરે મદને નાશ કરનાર છે. તેને મેળવીને એવા જ્ઞાનને મદ કેમ થાય? એક તે આપણે પંડિત પુરુષના જ્ઞાન આગળ મગતરાં છીએ અને બીજુ તે જ જ્ઞાન કેઈપણ પ્રકારની બાબતને મદ ન કQા સૂચ છે, શીખવે છે. આવું સારું જ્ઞાન મેળવીને એને અહંકાર કરવો એ સાન પિતે જ મદને હરનારું છે, તેનાથી વળી મદ થાય? અને જે જ્ઞાન જાત્યાદિ સર્વ પ્રકારના મને આ ગાળી નાખે છે તે જ્ઞાનને મદ શોભે ખરો? જ્ઞાન જ આપણને ઝાડને દાખલ ભાભી નમ્ર બનવાનું કહે છે. જેમ ફળ વધારે થાય તેમ ઝાડ નમ્ર બને છે (માપ્તિ નગારતા તમ). તે પછી આવું જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનપ્રાપ્તિને, ગર્વ કરવું કેમ શેલે? અને કેમ ઉચિત ગણાય? માટે શ્રુતજ્ઞાનને મદ કર એગ્ય નથી. હરિબ્રટીકામાં એક કલેક આપે છે તે આ સ્થાને વિચારવા લાયક છે– मददर्पहरं माद्यति, यः माद्यति तस्य को वैद्यः । - अमृत यस्य विषायति तस्य चिकित्सा कथ क्रियते । એટલે, મદને હરનાર જ મદ કરે તે તેને ઘેઘ (વૈદ-દાકતર) કણ થાય? જ્યાં અમૃત જ ઝેરની પેઠે આચરણ કરે ત્યાં તેનું ઓસડ શું? અને કેવી રીતે કરવું? એટલે જ્ઞાન તે આવી જાતના અભિમાનને ઘટાડનાર-હરનાર છે, તેને જ તે પ્રાણી દ૫ કરે ત્યારે તે અમૃત જ ઝેરની પેઠે આચરણ કરે છે. પછી તેને ઉપાય શું? અને કેવી રીતે કરાય? જ્યાં વાડ જ ચીભડાં ગળવા માંડે કે વાડ જ અંદરના વેલાને ખાઈ જવા લાગે અથવા જેને આશ્રય લેવામાં આવે તે જ ર નીકળે, તે પછી તે વ્યાધિવાળાની દવા કેમ થાય? કેણ કરે? અને કેવી રીતે કરે? માટે જે અભિમાનને હરનાર છે તેને દપ* ન કરે. એ કરવો એ કોઈપણ તે ઘટતું નથી. વાડ ચીભડાં ગળે એ એ ન્યાય છે. આ રીતે આઠે મદની વાત કરી. તે કરવા યોગ્ય નથી તે જણાવ્યું. (૬) મદરસ્થાનને લગતો સામાન્ય ઉપદેશ. एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य.. संसारवृद्धिश्च ॥९७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy