SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષયો ૧૭૭ બોધ લેવો ઘટે કે પિતે પણ રૂપ, બળ, બુદ્ધિ, જ્ઞાન, ચારિત્ર કદાચ બેઈ બેસી, વૈભવ (ધનપતિપણું) બેઈ બેસશે અને તે કયારે અને કેમ જશે તે તે પોતે જાણતા નથી. આ છ અસ્થિર પદાર્થો છે અને તે કાયમી ટકતા નથી, પૌગલિક છે અને તે વગરના પિતે થાય અથવા બીજાને થતાં જુએ તેવા માણસે તે પિતાના કુળમદને ત્યાગ કર ઘટે, કારણ કે સામાન્ય રીતે કેઈપણ પ્રકારને મદ ત્યજવા ગ્ય છે. તેમાં પણ કુળમદ તે ખાસ કરીને ત્યજવા ગ્ય છે. બાપદાદા કે વડીલે સારા થયા હોય તે તેમાં આપણને શું લાભ? તેઓ સારા હતા તે સારા કહેવાઈ ગયા, પણ આપણે તે તે વાતનું ગૌરવ કરવા સરખું નથી. પરિત્યાજ્ય–કુળમદને ત્યાગ કરવો જોઈએ. એ સારા હતા તે એમને લાભ મળે, એમાં આપણને શું લાભ? આપણામાં શુદ્ધ ચારિત્ર હોય તે જુદી વાત છે, પણ કુળનું અભિમાન ધારણ કરવું કે ગૌરવ રાખવું તે યંગ્ય નથી. એ વસ્તુ ત્યાગવા ગ્ય છે. અભિમાન કોઈનું રહેતું નથી. વડીલે મોટા, સારા, ભદ્ર હતા તેવું બોલવું તે આપણને શેભે નહિ. ચારિત્રશાળી-શીલવાનને પિતાના જોર ઉપર નાચવાનું છે, એણે અગાઉના માણસે કુળમાં સારા હતા એ વાતનું ગૌરવ કરવું ન ઘટે. એ સારા હતા તેટલા માટે કાંઈ પણ અર્થ સરતું નથી. એ સારા હતા તેથી એના કુળના સર્વ માણસે સારા એવું પણ કાંઈ છે જ નહિ. અને આપણા વડીલે સારા એટલે આપણું કુળ ઉત્તમ એવું અભિમાન ધારવું નહિ. સારા કુળમાં ઉત્પન્ન થયેલા લોકોને પણ રૂપ, બળ વગેરેથી હીન દેખીને કુળમદને ત્યાગ કરે એગ્ય છે. કુળમદને કાઢી નાખવા આ અને હવે પછીને શ્લેક (૮૪) છે. તે બતાવે છે કે જાતિને મદ અને કુળને મદ એ બને કરવા યોગ્ય નથી. (૮૩) શીલવાન અને શીલવગરનાને કુળમદ અગ્ય છે यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य किं कुलमदेन ? । . स्वगुणालंकृतस्य हि किं शीलवतः कुलंमदेन ? ॥८४॥ આ અથ—જેનું વર્તન અશુદ્ધ છે તેને કુળમદ કરવાથી શું? અને શુદ્ધ ચારિત્ર્યવાન જે પિતાના ગુણેથી શુભ હોય છે તેને કુળમદ કરવાથી શું? (૮૪) - વિવેચન—જે વ્યક્તિનું પિતાનું ચારિત્ર અશુદ્ધ હોય, જે ગમે ત્યાં ભખળ થઈ ખાતે હોય, પારકાની સ્ત્રીઓમાં રખડતે હોય, દારૂ પીતે હેય, ગમે તેવા ઇન્દ્રિયના ભોગોમાં આસક્ત હોય અથવા લેકમાં નિંદા પામે તેવાં આચરણે કરતે હોય અને જેની નામ લબાડ, તાલીમબાજ, દુરાચારી કે વેશ્યાગામી તરીકે પ્રસિદ્ધ થયેલું હોય તે પ્ર. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy