SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કષા અને વિષય દાખલે વ્યવહારુ માણસને સમજાવવા માટે આપે. બની શકે ત્યાં સુધી ચાલુ વહેવાર અને શક્ય જાણતા દાખલા આપવા. એવા દાખલાઓ તુરત ગળે ઊતરી જાય છે અને વહેવારુ માણસને તે તુરત બરાબર લાગુ પડતા અને હિતકારક જણાય છે, અને ગુરુ મહારાજને બંધ કરાવવાને ઉદ્દેશ બરાબર પાર પાડે છે. માટે, જીવનમાંથી જીવતાં અને જાણીતા દાખલાઓ આપવા જોઈએ અને હેતુને સ્પષ્ટ કરનાર અને ખાસ કરીને શ્રોતાને તુરત ગળે ઊતરી જાય તેવા દાખલા આપવા જોઈએ. લુગડાં અને ઘરેણુને દલે જાણીતે અને દરજને વિષય હોઈ બરાબર તે નિયમને અનુસરે છે. આવો જ દાખલે નિર્જળા નદીને ગમાં લૈંકમાં આપે. ઘણું કરીને દરેક ગામે નદી હોય છે અને ઘણી નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે. આવી નદીને દાખલા ગામડાના વહેવારુ માણસને તુરત સમજાઈ જાય છે અને ગળે ઊતરી જાય છે અને કર્તાને ઉદ્દેશ પાર - શ્રત–કેળવણી, આગમ, ધાર્મિક કેળવણીવાળો માણસ. આવા માણસની કમેટી પણ થાય છે અને તેમાં જે તે પસાર થઈ જાય તે બહુ મૂલ્યવાન ગણાય છે. એટલે કેળવણી અને શીલ (વર્તન) એ કટીસ્થાને છે અને વિનયનમ્રતા તે ગુણને બહુ દીવે છે. હજુ વિનયગુણ માટે ઘણું કહેવાનું છે. એ ગુણને બરાબર સમજી લે. નિકષ–કસેટી. જેમ નાની પરીક્ષા કથિી થાય છે, તેમ કૃતજ્ઞાન અને શીલની પરીક્ષા પણ વિનયથી થાય છે. અમુક માણસમાં અઢાર હજાર શીલાગે છે કે નહિ તે સર્વની પરીક્ષા વિનયગુણથી થાય છે. જેમ માણસ વડીલ વર્ગને વિનય જળ તેમ તે સારે અને લાયક ગણાય છે. વિનયગુણથી તેની પરીક્ષા થાય છે. તે ગમે તેટલું ભર્યો હોય, પણ તેનામાં નમ્રતાવિચગુણ ન આવેલું હોય તે અંતે તે ઉઘાડો પડી જાય છે અને તે નથી. માણસની શોભા વસ્ત્ર કે ઘરેણુથી થતી નથી, તેનું જ્ઞાન અને વર્તન (લ) જોઈ તેની પરીક્ષા થાય છે અને સારે કે ખરાબ કહેવાય છે. લૂગડાં– ઘરેણાંથી એ એટલે શોભતું નથી એટલે વિનયથી શોભે છે. વિજ્ય આવો મોટો ગુણ છે, આપણે હજુ પણ આગળ ચાલતાં તેની મહત્તા જોઈશું. (૬૮). વિનયની મહત્તા વિશે વધુ गुर्वायत्ता यस्माच्छाखारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुराधनपरेण हितकांक्षिणा भाव्यम् ॥६९।। અથ–શાસ્ત્રની શરૂઆત કરવી તે ગુરુને અધીન હોવાથી અને સર્વ શાસ્ત્રને આરંભ તે કરે જ જોઈએ, તેથી જે માણસ પિતાનું હિત કરવા ઈચ્છા રાખતે હેય તેણે ગુરુમહારાજને વિનય કરવા તત્પર રહેવું જ જોઈએ. (૬૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy