SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કષા અને વિષે રાગદ્વેષ એના ખરાબ કે સારાપણાનું કારણ હોવાથી વિષયે પિતેઃ સારા કે ખરાબ લા છે. જે રાગથી તણાયા કે દ્વેષથી એ વસ્તુ આપણે ન જોઈએ એમ ધારી બેઠા, તે આપણે સંસારમાં રખડડ્યા. એટલે વિષયે પતે રખડાવનારા થતા નથી પણ તે તરફ રાગદ્વેષ આપણ કેટલે અને કેવા થયેલ છે તે વિચારવાનું રહે છે. રઝળાવનાર અને સંસારને એ ખરેખર આ રાગદ્વેષને ભાવ જ બનાવે છે. જે આપણે આત્માને મેકળે મૂકી રાગથી વેચાઈ જઈએ, તે આ સંસારમાં રખડવાનું થાય છે અને શ્રેષથી વસ્તુને તજીએ તે તે પણ સંસારને વધારનાર થાય છે. એટલેં ઇન્દ્રિયના વિષયે ખરાબ જાતે નથી, પણ રાગ અને દ્વેષ તે વસ્તુને સારી અથવા ખરાબ બનાવનાર નીવડે છે અને સંસાર વધારનાર કમબંધ કરે છે. કર્મબંધ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી થાય છે અને તેથી વિષને સંસારવૃદ્ધિનાં કારણે ગણવા ન ઘટે, પણ તેમના તરફ આપણે ખેંચાણ (રાગ) રાખીએ અથવા ઠેષ-તિરસ્કાર રાખીએ, તેથી કમબંધ થાય છે. કર્મબંધનું મૂળ કારણ આપણને આ રીતે મળે છે અને એ રાગદ્વેષ જ છે જે સંસ્પરને. વધારનાર નીવડે છે. એટલે સંયમ રાખી રાગદ્વેષને વશ કરવા અને તેનાથી ચેતતા રહેવાની બહુ જરૂર છે. આવી રીતે સંસારને વધારનાર, કર્મ બંધનું કારણે રાગ કે દ્વેષ છે એ સિદ્ધ થયું. આ સંબંધમાં આંતરિક દષ્ટિ રાખવાથી સંસારનું મૂળ કઈ જગે પર રહેલું છે, તે જણાઈ આવે છે અને એક વખત રાગદ્વેષ કબજામાં આવ્યા તે કર્મબંધનું કારણ કાંઈ રહેતું નથી. કર્મ સંબંધમાં એક વાત કહી દેવી જરૂરી છે કે કર્મ કર્યા હોય. તે ઉદયમાં જરૂર આવે અને કર્મોદયને ટાળવા આપણે સમર્થ નથી. મોટા ચક્રવતીને પણ કરેલાં કર્સે તે જરૂરું જોગવવાં જ પડે છે. માટે કર્મબંધનું કારણ શું છૅ અને ક્યાં છે તે સમજી, તેને પકડી પાડવું જરૂરી છે. (૫૪) દાખલો (વિચારવા ગ્ય)... स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिन्नस्य कर्मबन्धो भवत्येवम् ॥५५॥ શરીરે ચીકાશ તેલ લગાડેલ હોય તે માણસનાં અવયવો જેમ ધૂળથી ભરાઈ જાય છે તેમ રાગથી અથવા શ્રેષથી ભીના થયેલા માણસને કર્મબંધ જ તે પ્રમાણે થાય છે. (૫૫) * વિવેચન-સ્નેહઃ ચીકણો કોઈ પણ પદાર્થ, તેલ અથવા વીર્ય અથવા બીજી કઈ ચીકણી વસ્તુ, ચીકાશ શરીર ઉપર લાગેલી અથવા લગાવેલ હોય તે માણસના અવય જેમ ધૂળથી ભરાઈ જાય છે, એટલે શરીરે ચા લગાવેલ હોય તે માણસ ચિકાશના પ્ર. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy